SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir - આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ. ( ૫૬૧ ) તે પરમ યોગી છે; એવો ચગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીઓ સંપૂર્ણ ચગશક્તિોને પ્રાપ્ત કરવાને અનેક રોગના અંગોને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાઓનાં, મંત્રનાં, યંત્રનાં, તંત્રનાં અનુષ્ઠાન કરે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી તેમને જે જે ચોગ્ય અનુષ્ઠાનો લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાને સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓથી યોગીઓની શકિતનો પાર પામી શકાતો નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરે નહિ. જ્ઞાનધ્યાનમાં લીન ગીઓ સ્વતંત્ર કર્તવ્ય કર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી તે પણ જે કંઈ તેઓ કરે છે તે બાહ્યથી કરે છે તે તેઓના આશય અવબોધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બલજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કોઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતા નથી. જ્ઞાન ધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિ“વના લકોને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશમાં ટેલટેય રસ્કીન પેથગેરસ સોક્રેટીસ કાર જેવા તવતાઓથી અનેક લાભો પ્રગટયા છે. આર્યભૂમિ તો સર્વ દેશની ગુરુ સમાન છે. આર્યવર્તમાં મહાયોગીઓ, મહાધ્યાનીઓ, મહાજ્ઞાનીઓ પ્રગટયા છે. ભારતભૂમિનાં જેટલાં યશગાન કરીએ તેટલાં ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામાં આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાભાઓ નથી–એમ કથંચિત દ્રષ્ટિએ કળી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માઓ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણાને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુષ્યથી કદિ બની શકે તેમ નથી-આત્મજ્ઞાનીઓ આત્મશકિતને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમાં, એકાન્ત સ્થળોમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તો પણ તેઓ હૃદયમાં આત્મધ્યાનની કંઈ કિયા કરીને તેના આન્દોલનોથી જગતને અપૂર્વ લાભ આપે છે. મન વચન અને કાયાના ગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્ક્રિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતત્ત્વાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શોધ કરે છે. એવી સ્થિતિવાળા જ્ઞાની મહાત્માઓને કેટલાક અન્ન જડ લોકો જગમાં નકામા પડી રહેલા મને છે. તેઓ દુનિયામાં કંઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્યો કર્થ છે પણ તેઓની ભૂલ છે. રાજાના મંત્રીઓ, તત્વવેત્તાઓ, શોધકો જ્ઞાનીઓ, યેગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્ક્રિય જેવા બનીને અન્તર્થી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણી દ્વારા પ્રકાશે છે ત્યારે દુનિયાના લોકો આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પને સંધ્યા વિના આત્મશક્તિને ૭૧ For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy