SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ કમયોગી અર્થાત કિયાવાદી નથી તે અક્રિયાવાદીને કહપાક્ષિક અર્થાત હજી મોક્ષમાર્ગને આરાધક બન્યો નથી એમ કહેવામાં આવ્યું છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધર્મી પ્રવૃત્તિ લક્ષણ--ધર્મ પ્રવૃત્તિને ફેલાવો કરવાનું વર્ણન જેટલું જૈન શાસ્ત્રોમાંથી મળી આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાંથી મળી આવતું નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મપ્રવૃત્તિ છે. શોધખોળ કરનારા સાયન્સ પ્રોફેસરે વિષયમાં મનની એકાગ્રતા કરીને અયિ જેવા બની જઈને પણું શોધખોળ માટે મથે છે. મનની એકાગ્રતા વિના નવીન શેધે થઈ શકે નહીં. પ્રોફેસર એડીસને એક વખત એક સરખા અડતાલીશ કલાક પયંત મનની એકાગ્રતા કરીને ફેનોગ્રાફ વગેરેની શોધ કરી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિ, ત્યાગીઓ, જ્ઞાન, ધ્યાન, સમાધિ કરે છે તે નિત્ય સુખની કેવળજ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ માટે કરે છે તે પણ જ્ઞાન આદિ ગુણો પ્રાપ્ત કરીને સ્વપરને અનંત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પણ સર્વોત્તમ કર્મયોગ સૂક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચકોએ અવબેધવું. કર્મયેગીઓથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિઓને ઉદ્ધાર થાય છે તેથી તેઓ વંઘ–પૂજ્ય છે. કર્મયોગીઓની મહત્તાનું વર્ણન કર્યું પાર આવી શકે તેમ નથી. અમે એ કર્મયોગમાં કાર્યો કરવાના અર્થમાં કર્મ શબ્દનો ઉપયોગ કર્યો છે. કાર્ય કરવાં, પ્રવૃત્તિ કરવી, ક્રિયાઓ કરવી, સ્વફરજ અદા કરવી એ અર્થમાં જે કમ શબ્દ વાપર્યો કમે શબ્દાર્થ છે તે કિયાગના અર્થ સમાન છે. અને કમને નાશ કરે, કર્મથી કર્મ સ્વરૂ૫. નિર્લેપ રહેવું, કર્મ લાગતાં નથી, કર્મનું બંધન થતું નથી ઈત્યાદિ વાકયપ્રયોગોમાં જે કર્મ શબ્દ વાપર્યો છે તે કર્મથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, શેત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ કર્મનું તથા તેમાં સમાઈ જનાર પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ કર્મનું ગ્રહણ અવબોધવું. બાહ્ય કર્મો કરતાં છતાં તેમાં માહનીયાદિ કર્મથી લેપાયું નહીં અને મેહનીયાદિ કર્મને નાશ કરે એ જ કર્મ વેગનું રહસ્ય છે અને કર્મ યોગીઓએ કર્મયોગને મેહથી નિલેષ રહી સેવવાં જોઇએ એ જ સકલ ગ્રીનો સાર અવબોધ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનું વિશેષ પ્રકારે વરૂપ સમજ્યા વિના કર્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, શ્રીમદ્દ દેવચંદ્રસુરિકત છ કર્મગ્રન્થમાં આઠ કર્મનું વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે. પ્રાચીન સંસ્કૃત કર્મગ્રન્થ કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે તે વાંચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. કર્મ પ્રન્થનું એક વાર પૂર્ણ જ્ઞાન કેઈ કરશે તેને જૈન ધર્મનું મહત્વ સમજાયા વિના રહેશે નહીં-આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, કર્મ વિપાક સૂત્ર વગેરે સૂત્રોમાં તથા ગ્રન્થમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે તેમાંથી ખાસ કર્મસ્વરૂપ જાણવું જોઈએ. જેન શાસ્ત્રોમાં જેવું જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે તેવું અન્ય ધર્મના શાસ્ત્રોમાં વર્ણન નથી. અમોએ ચાર વેદો પૈકી ત્રણ વેદની સંહિતા, તે ઉપરના કેટલાક ગ્રન્થ, એકસને અઢાર ઉપનિષદો, પુરાણો પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં છપાયાં છે તે પુરાણો તથા યોગવાસિષ્ઠાદિ અનેક ગ્રન્થનું વાંચન મનન કર્યું છે પરંતુ જેવું જૈનાગોમાં, જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ લખાયું છે તેવું તે અન્ય ગ્રન્થોમાં વાંચ્યું નથી. આત્માને અને કમને કેવી રીતને સંબંધ છે અને સંસારમાં ચોરાશી લક્ષનિમાં કમથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનું જેન શાસ્ત્રોમાં જેવું વર્ણન છે તેવું સાંખ્ય શાસ્ત્રોમાં પણ અમારા વાંચવામાં વર્ણન આવ્યું નથી. સાંખ્ય શાસ્ત્રોનાં તવોને અનેક ગ્રન્થ દ્વારા અનુભવ કર્યો છે પરંતુ કમની ફીલસોફીમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy