SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (198) શ્રી કુયાગ ગ્રંથ-વિવેચન, અને દુર્ગુણૅ વચ્ચે થતા યુદ્ધને અનુભવ કરી શકાય છે અને અન્તે દુર્ગુણા પર ય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં બે પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને બીજી દૈવીશક્તિ. આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે. હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રહ્મચર્ય-સૂર્ણાં-અજ્ઞાન-અવિરતિ–ક્રોધ માન-માયા-લાભ-ઇર્ષ્યા-નિન્દા-આલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા-રતિ અને અતિ આદિ For Private And Personal Use Only 嵋 આસુરી શક્તિયા છે. ક્ષમા-દયા-સેવા-ભક્તિ-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય-જ્ઞાન-વિવેકસમતા-શુદ્ધપ્રેમ-ત્યાગ-આવ-માવ-નિલંભતા-તપ- સયમ-ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દૈવીશક્તિયેા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પિડમાં તથા બ્રહ્માંડમાં આસુરીશક્તિયેાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિયાના તામે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિંડમાં તથા બ્રહ્માંડમાં સુરીશતિયાને પ્રચારે છે. જેવી પિંડમાં સુરી અને આસુરી શક્તિયા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયેા વ્યાપી રહી છે. જે મનુષ્યેામાં સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેને દૈવીસ'પત્તિવાળા સુરેશ થવામાં આવે છે અને જે મનુષ્યોમાં હિંસાદિ આસુરી શક્તિયેા પ્રધાનપણે વર્તે છે તેઓને આસુરી સંપત્તિવાળા અસુરા થવામાં આવે છે. જેમ પિ’ડમાં સુરી અને અસુરી શક્તિયેાનું યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્માંડવતિ દેવદાનવ-મનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિયાનું યુદ્ધ પ્રવર્ત્યા કરે છે. પિંડમાં જે જે ભાવા પ્રગટે છે તેવા ભાવા બ્રહ્માંડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માંડમાં સુરીશક્તિયે સદા અસુરીશક્તિયોના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશક્તિયે સ્વપ્રતિપક્ષીભૂત સુરીશક્તિયાના નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિંડમાં સુરીશક્તિયેઃ અને અસુરી શક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ પ્રકટે છે-તદ્વત્ બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ થાય છે. રજોગુણ અને તમેગુણની વૃત્તિએ સર્વે અસુરીશતિયા ગણાય છે અને સત્ત્વગુણની વૃત્તિયો છે સર્વે સુરીશક્તિયો ગણાય છે. યાપિંડમાં કોઈ કાળે અસુરીશક્તિયાનું પ્રાબલ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિયાનું નિખલત્વ થાય છે-તદ્વત્ બ્રહ્માંડમાં-વિશ્વમાં કોઈ કાળે આસુરીશિક્તવાળા મનુષ્યાનું સત્તાખળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિંડમાં જેમ અસુરીતિયાના પ્રામણ્યથી અને સુરીશક્તિયેાના નિર્મૂલત્વથી દુઃખ-શાક ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માંડમાં-વિશ્વમાં આસુરી શક્તિયાના પ્રાખલ્યયુક્ત સામ્રાજ્યથી શાક ભય દુઃખ અને અનારોગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરીશક્તિપ્રધાન અસુરા અને સુરીશક્તિપ્રધાન સુરી મનુષ્ય વચ્ચે - વિદ્યા - રાજ્ય-વ્યાપાર- સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમાં અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેને કદાપિ પાર આવવાના નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સોંપત્તિવાળા મનુષ્યાનું સત્તા
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy