SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) શ્રાવકેના ઘેર જમે અને પ્રભુના ગુણ ગાય અને અનેક રસમય કથાઓ કહીને જેનોને જનધર્મમાં દઢ કરે તથા અન્ય દર્શનીઓને જૈનધર્મનો ઉપદેશ આપી જન બનાવે. તેઓ જન સાધુઓ પાસે અભ્યાસ કરીને વિદ્વાન બનીને જનધર્મનો ઉપદેશ આપે તે માટે તેમના જૈન ગૃહસ્થો પર કેટલાક લાગા રાખ્યા હતા. તે પેજના બહુ ઉતમ હતી, તેને કેટલાક અંશે લાભ થયો છે પણ હાલ ભેજ જૈનધર્મને પરિપૂર્ણ અભ્યાસ કરી વિદ્વાન બનતા નથી, તેમજ તેમની વિદ્વત્તાના અભાવે જેનોને તેમના પર પૂર્વની પેઠે ભાવ રહ્યો નથી. ભેજકે પોતાના છોકરાઓને નાટકમાં મૂકે છે તેના કરતાં તેઓ કાશી વગેરેની જૈન પાઠશાળાઓમાં મૂકે તો તેમની અસલની કીર્તિ જળવાઈ રહે અને તેઓ જનધર્મના ફેલાવવામાં સારો ભાગ લેઈ શકે. જૈનોએ પોતાના સાધર્મી બંધુ જન ભોજકોને ધાર્મિક કેળવણુ વગેરેમાં સારી રીતે સાહાસ્ય આપવી જોઈએ. ભોજકોની વસતિ ગુજરાતમાં ઘણું છે. તેઓ જે પુનઃ જનગુરૂઓ પાસે વા સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરે તો અસલની સ્થિતિ પર આવી શકે. જન કોન્ફરન્સમાં ભોજકો વગેરે જે જે જાતે જૈનધર્મ પાળતી હોય તે તે સર્વ જાતને જૈન કોન્ફરન્સના આગેવાનોએ આમંત્રણ પત્ર મોકલવું જોઈએ અને જે તે આમંત્રણ ન મોકલે તો સમજવું કે તેઓ જૈનધર્માભિમાની છેજ નહિ. ફક્ત ઉપરની વાહવાહ કરીને કીર્તિના પૂજારી અને ધામધુમના પૂજારી બનવાજ આગેવાની ભર્યો ભાગ લે છે એમ સમજવું. જેન ભોજકોએ જૈનધર્મને ફેલાવો કરવા પિતાના અસલના વડુઆઓની પેઠે કમર કસવી જોઈએ. ગુજરાતમાં ભાવસાર લેકે જૈનધર્મ પાળે છે. ભાવસાર જાત એ અસલથી જનધર્મ પાળનારી વૈશ્ય જાત છે. ભાવસાર જાતની ગુજરાત દેશમાં ઘણુ વસતિ છે. જૈન ધર્મ પાળનાર ભાવસાર જેને બે ભાગમાં વ્હે For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy