SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬) ચાઈ ગયા છે. કેટલાક ભાવસાર લેકે જન શ્વેતાંબર મૂર્તિ પૂજક ધર્મ પાળે છે અને કેટલાક સ્થાનકવાસી જૈનધર્મ પાળે છે. જૈન સાધુએના પરિપૂર્ણ ઉપદેશના અભાવે કેટલાક ભાવસારો વૈષ્ણવ વગેરે ધર્મના ઉપદેશકોના સંબંધે વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા. છે. કપડવણજ વગેરે ગામમાં નેમાવાણિયાની સારી સંખ્યામાં વસતિ છે તેઓ અસલથી જૈનધર્મ પાળતા આવ્યા છે પણ હમણાં કેટલાંક વર્ષથી કેટલાંક ગામોમાં કેટલાક નેમાવાણિયા વૈષ્ણવ ધર્મ પાળવા લાગ્યા છે જૈનાચાર્યોએ આ બાબત તરફ લક્ષ દેઈ બનતું કરવું જોઈએ જ. જોધપુર-અજમેર વગેરે તરફ કેટલાક ઓશવાળ લોક વૈષ્ણવ ધર્મ પાળે છે. ઓશવાળ જાતિ અસલથી જૈનધર્મ પાળનારી છે પણ જેન સાધુઓની ઉપદેશ વગેરેની યોજનાઓની શિથિલતાથી કેટલાક એઓશવાળ જૈનો અન્ય ધર્મના અનુરાગી થયા છે. દશાશ્રીમાળી, વિશાશ્રીમાળી, દશાપોરવાડ, દશાલાડ, વીશાલાડ વગેરે જન વણિક જાતમાંથી કેટલાક લોકો વૈષ્ણવ વગેરે ધર્મના અનુયાયી થયા છે તેથી જૈનોની વસતિમાં ઘણે ઘટાડો થવા પામ્યો છે. મેહસાણાના દશાદેશાવાડ વણિકે પૂર્વે જન હતા અને તેઓના બાપ દાદાઓએ સિદ્ધાચળ વગેરે ઠેકાણે જૈન દેરાસર બંધાવ્યાં હતાં. હાલ તે લોકો વૈષ્ણવ ધર્મના અનુયાયી થયા છે. વડનગરમાં હાલ જે મેસરી વાણિયાઓ છે તે અસલ જૈન ધર્મ પાળતા હતા. તેઓને ચાલીશ વર્ષ પૂર્વે ગોસ્વામીએ નાત બહાર મૂકવા હુકમ કર્યો તે વખતે વડનગરને જૈન વાણિયાઓ અમદાવાદમાં પ્રેમાભાઈ શેઠની આગળ આવીને પિકાર કર્યો અને તેઓએ કહ્યું કે તમે અમારી સાથે કન્યા વ્યવહાર રાખે, કારણ કે અમો જૈનધર્મ પાળીએ છીએ તે અમારી જાતના અન્ય વૈષ્ણવ વાણિયાએ કન્યા લેવા દેવાને વ્યવહાર બંધ કરે છે. માટે અમને સાહાબ આપે તે વખતમાં વિધમાન સાધુઓ તથા શ્રાવકોએ આ બાબત For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy