SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ સમાજ સુધારા. ઉપર ઘણું લખ્યું છે. બાળલગ્ન, કન્યાવિક્રય, રડવું કૂટવું વિગેરે દુષ્ટ રિવાજો નાબૂદ થાય એટલા માટે છૂટક છૂટક અનેક પદો રચેલા છે. આવા પદે પણ રસમય બન્યાં છે એ આમાં વિશેષતા છે જુઓ – પ્રભુ બાળલગ્નને ચાલ, વળે છે દેશે; પ્રભુ રાખે તેની લાજ, જગતમાં રહેશે.” ઈસલામીઓ થઈ જાય છે, દે દશા વિધવાત, વળી પ્રસ્તિ થઈ જાય છે, દેખે દશા વિધવાતણી. પરધર્મમાં વટલાય છે, દેખે દશા વિધવાણી, પરહસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવાતણી.” “હું બોલતાં અકલાઉં છું, દેખે દશા વિધવાતણું; લખતાં અતિ અકલાઉં છું, દેખે દશા વિધવાતણું.” સમગ્ર દેશ પરતંત્ર છે, આજે આપણું કાંઈ નથી. જ્યાંસુધી આ પણે આપણું મેળવશું નહિ ત્યાંસુધી સુખ મળવાનું નથી. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કવિ કહે છે કે – એવી સ્થિતિ છે આજ કે નથી આપણી ગંગા નદી, એવી સ્થિતિ છે આજ કે નથી આપણું યમુના નદી અજીતાબ્ધિ આ સ્થિતિ વિષે હર્ષાભિમાન ઘટે નહિ, ને એ સ્થિતિ ગાળ્યા વિના છૂટકે કદાપિ છે નહિ.” જ્ઞાનીઓ અને સર્વ અનુભવીઓ એક જ કહે છે કે આ જગત અનાદિ અનંત છે. જગતના આદિ અને અંત આજસુધીમાં કેદ જોઈ શક્યું નથી. જગતને વિચાર અકળ છે. ભલભલાને એની ગમ પડી નથી. જગતને વિચાર કરતાં સૌ કોઈની મતિ મુંઝવણ પામે છે. કવિ પણ કહે છે કે – For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy