SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) તે સર્વગુણપયયને કાર્યધર્મ છે. તત્ર જીવદ્રવ્યનું સ્વદ્રવ્ય પ્રદેશ ગુણને સમુદાય દ્રવ્ય છે. જીવના અસંખ્યાત પ્રદેશ છે, તે જ છે. તથા જીવના પર્યાય મળે કારણે કાર્યાદિને જે ઉત્પાદવ્યય છે તે વાત્ર છે. તથા આત્માના ગુણપર્યાયને કાર્ચ ધર્મ તે અમાણ છે. એમ સ્વદ્રવ્યાદિક ચતુષ્ટયપણે જે પરિણમે છે, તે દ્રવ્યની અસ્તિતા જાણવી. દ્રવ્યને અતિ સ્વભાવ છે, તે અન્યધર્મપણે પરિણમતું નથી. સર્વ દ્રવ્ય સ્વદ્રવ્ય શિક ચતુષ્ટયની અપેક્ષાએ મહિતમાં છે તેથી છવદ્રવ્ય છે. તે અજીવપણે પરિણમતું નથી. તથા એક જીવ છે, તે અન્યજીવપણે પરિણમતું નથી. તેમ ધર્મ દ્રવ્ય, તે અધર્મરૂપે પરિણમતું નથી, અને અધર્મદ્રવ્ય, તે ધર્મ દ્રવ્યપણે પરિણમતું નથી. તથા જીવને એક ગુણ છે, તે અન્યગુણપણે પરિણમતું નથી. જ્ઞાનગુણમાં જ્ઞાનની અસ્તિતા છે, અને જ્ઞાનમાં દર્શનાદિક ગુણોની નાસ્તિતા છે. ચક્ષુ દર્શનમાં અચક્ષુ દર્શની નાસ્તિ છે, અને ચક્ષુદર્શનની અસ્તિતા છે. તથા એક ગુણના પર્યાય અનંતા છે, અને સર્વ પર્યાય, ધર્મે સરખા છે, પણ એક પર્યાયના ધર્મ બીજા પર્યાયમાં નથી, અને બીજા પર્યાયના ધર્મ છે, તે પ્રથમપર્યાયમાં નથી. માટે સર્વદ્રવ્ય પિતાના ધમેં અસ્તિ છે. इति अस्तिस्वभाव स्वरूपम्. अन्यजातीयद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यव For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy