SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ નથી અને સન્માર્ગ દર્શકની દલીલોને વધાવી લે છે તેથી તેઓને મુંઝવણમાં પડવું પડતું નથી. કારણે તેઓમાં વિચાર અને વિવેક જાગ્રતું હોય છેપરંતુ જેઓને આત્મશક્તિને વિકાસ થયો નથી તેઓને આ સંસારના સર્વ વ્યાવહારિક કાર્યોમાં મુંઝવણ થાય છે અને મુંઝવણુના વેગે કઈ સન્માર્ગ દર્શક ન મળે તે ઉન્માર્ગે પણ ચઢી જાય છે, માટે પ્રથમ આત્મવિકાસ સાધવા માટે મન અને તન ને કબજે કરવાની આવશ્યકતા છે. કબજામાં રહેલ મન અને તન વર્ગ ગમનમાં તેમજ મેક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરવામાં સારી રીતે કામ આપી શકે છે અને કબજામાં નહી રહેલ મન-તન-સાતમી નરકાદિક સુધીના સંકટમાં ફસાવી નાખે છે. માટે નરકાદિકના દુખે ભેગવવાને અવસર ન આવે તેને માટે તૈયારી કરી લેવી જોઈએ. - ૩ર૦, વિચાર અને વિવેક કરવો તે મનનું કાર્ય છે અને વર્તનમાં મૂકવું તે મન અને તનનું કાર્ય છે, મન-તનથી વિચાર અને વિવેક તમે કરી શકે એમ છે માટે વિચાર અને વિવેક એ કરે કે-આત્મા સાથે રહેલા કર્મના દલીને સમૂલ ઘાત થાય અને આત્મા, સર્વ શક્તિઓને સ્વામી બને. જેવી તેવી કલ્પનાઓ કરવામાં માલ નથી, નાહક્ક આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનવડે આત્માની શક્તિ દબાય છે. તેનું તેજ ઝાંખુ પડે છે અને આત્મા ચારે ગતિમાં રખડે છે. ૩૨૧. કર્મનું દેવું આપવું જ પડશે વાણુના દેવા કરતાં સરકારનું દેવું અધિક દુઃખદાયી છે, તેના કરતાં પણ કર્મનું દેવું અત્યંત કષ્ટદાયક છે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy