SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) આ સ્તવનની ત્રીજી ગાથામાં તને શંકા પડી છે. તે એ છે કે, પુરૂષપરંપરાએ જે માર્ગ જોવામાં આવે છે તે આંધળાની પાછળ અન્ય ગમન કરતો માલુમ પડે છે. આગામેના આધારે જે મિક્ષ માર્ગને વિચાર કરવામાં આવે છે તે પગ મૂકવાનું ઠેકાણું નથી વા ચારિત્ર ધારણ કરવાનું ઠેકાણું નથી.” શંકાવાદિન! આ અર્થ કરીને તું મનમાં એમ નિશ્ચય કરે છે કે, હાલ આગમોના આધારે ચારિત્ર ધારણ કરી શકાતું નથી ! આવી તારી શંકા ખરેખર આગમથી વિરૂદ્ધ છે અને તે અયોગ્ય છે. શ્રીમના આશયને બરાબર નહિ જાણ વાથી તને એ શંકા થઈ છે. શ્રીમદ્ તે એમ કર્થ છે કે, આગામે અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે પૂર્વાચાર્યોથી ચાલતી આવેલી ચારિત્રમાર્ગની પરંપરા એ બેથકી મેક્ષમાર્ગ છે. જે બેમાંથી એક–આગામોને ન માનવામાં આવે તો એકલી પરંપરાએ શું થાય? તે સંબધી પોતે શ્રીમુખે કહે છે કે “પુ પર અનુભવ નોવતાં રે અંબંધ પુછાય.” જે પુરૂષ પરંપરાના એકલા અનુભવે દેખીએ તે અશ્વ ને અંધ દોરે તેવું દેખાય છે. અને જિત ક–જિત વ્યવહાર પરંપરાને છોડી એકલા આગામે મોક્ષમાર્ગને દેખીએ તે ચારિત્ર ધારણ કરવાનું ઠેકાણું નથી. સારાંશ કે ગુરૂપરંપરા-જિતકલ્પ વ્યવહાર અને આગમવડે મોક્ષમાર્ગભૂત એવા ચારિત્રની આરાધના કરી શકાય. જે આ પ્રમાણે અર્થ ન માનવામાં આવે તે, ભગવતીસૂત્ર અને કલ્પસૂત્ર વગેરે સૂત્રોમાં જણુવ્યું છે કે “શ્રીવીરનું શાસન એકવીશ હજાર વર્ષપર્યન્ત. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાથી ચાલશે” એમાં વિરોધ આવે અને નિયમતો એ છે કે, સૂત્રો-ગ્રન્થ પરંપરા-અને વિદ્યમાન ગીતા એ સર્વના અભિપ્રાયથી અવિરૂદ્ધ એવું વચન આગમોના જ્ઞાતાઓ વિદે. શ્રીમદ્ તો આગમના પૂર્ણ શ્રદ્ધાળુ હતા અને તેથી તે સૂત્ર અને પરંપરા વિરૂદ્ધ લેજ કેમ? એમણે સૂત્રોને તો માન્ય કર્યા છે તેથી તેમના હૃદયનો આશયતો એવો વિનિ પ્રગટ કરે છે કે, એકાન્ત આગમ વા એકાન્ત પરંપરાથી ચારિત્રરૂપ મોક્ષપલ્થ ચાલી શકે નહિ. અનેકાન્તપણે એટલે આગમે અને સુવિહિત પરંપરાએ જ ચારિત્રરૂપ મેક્ષપભ્યની સિદ્ધિ થાય છે; અને એજ વાતને તેઓ “તરતમ યોજે રે તરત વાસના , વાણિત વષ આધાર” એ વાકયથી જણાવે છે. તરતમયગે વાસિતબોધ આધારે–તરતમોને હાલ ચારિત્ર પામી શકાય છે તેમજ પાળી શકાય છે. હાલ તેને આધાર છે એમ જણાવે છે. હાલના દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવપ્રમાણે સાધુપણું છે,ચારિત્ર છે. હાલ બકુશ-અને કુશીલ એવા બે પ્રકારના ચારિત્રીયા વર્તે છે અને તે ભગવતી સૂત્રના આધારે એક For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy