SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપનારનો આશય એવો નથી કે, તું ખરાબ રીતે વર્તે છે તેથી તમારું કુળ જ નથી. શિશાદિયા ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થએલાને કઈ ક્ષત્રિય કહે કે “અરે તું શિશેદિયાવંશને ન લજાવ.” એનો અર્થ એવો નથી કે તારે શિશુદિયાવંશ ખોટો છે. પરંતુ તેનો અર્થ એવો છે કે, તું શિશદીયાવંશમાં ઉત્પન્ન થયે છે તેથી શિશદીવશ લાજે અને તેની હલકાઈ થાય એવાં કૃત્ય ન કર. તત્ અત્ર પણ આનન્દઘનજીને પણ એવો અભિપ્રાય છે કે ગચ્છના ભેદથી ફ્લેશ કરીને અને પ્રમાદી બનીને જે સાધુઓ તત્ત્વની વાત કરે છે તે ગ૭ને શેભાવી શકતા નથી, તેમજ આત્માનું હિત કરી શકતા નથી અને તેઓ મહના તાબે થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે, તેઓએ સૂત્રવિરૂદ્ધ કંઈ કહ્યું નથી. શ્રી અનન્તનાથના સ્તવનમાંજ તેઓ કયે છે કે – पाप नहि कोइ उत्सूत्र भाषण जिस्यो, धर्म नहि कोई जगसूत्र सरीखो. सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनो शुद्ध चारित्र परखो ॥ धार० ॥ પિસ્તાલીશ આગમે એ સૂત્ર ગણાય છે. સૂત્રોના અનુસારે સુવિહિત પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ-વૃત્તિ-ભાગ્ય-ચૂર્ણ વગેરે કરી હોય છે તે પણું સૂત્ર ગણાય છે. તેમજ સૂત્રોના અનુસારે રચાયેલા પ્રામાણિક ગ્રન્થ-પ્રકરણે વગેરેને પણ સૂત્રમાં અન્તર્ભાવ થાય છે. સૂત્રોથી વિરૂદ્ધ ભાષણ કરવું તે ઉત્સુત્ર ગણાય છે. “ઉસૂત્ર ભાષણ સમાન કઈ જગતમાં મહાન પાપ નથી.” શ્રી વીરપ્રભુથી ઉતરી આવેલાં એવાં સૂત્રો સરખે કેાઈ શ્રુતજ્ઞાનરૂપ મહાન ધર્મ નથી. આ કલિયુગમાં શ્રી વિરપ્રભુના આગમને આધાર છે. શ્રીમદ્ આનન્દઘનજી થે છે કે, સપ્રતિવિદ્યમાન સૂત્રો સમાન અન્ય કઈ શ્રત ધર્મ નથી. પિસ્તાલીશ આગામેનાં નામ નીચે પ્રમાણે છે – १ आचारांग २ सुयडांग ३ ठाणांग ४ समवायांग ५ भगवती ६ ज्ञाताधर्मकथा ७ उपासकदशांग ८ अंतगडदशांग ९ अनुत्तरोववाइ दशांग १० प्रश्न व्याकरण ११ विपाक ए अगीआर अंग तथा १२ दृष्टिवाद अंग, के जेमा चउद पूर्वो हता तेनो. हाल विच्छेद थयो छे, तथा बार उपांग १ उव्ववाइ २ रायपसेणी ३ जीवाभिगम ४ पनवणा ५ जंबुद्वीपपन्नति ६ चंदपन्नति ७ सुरपन्नति ८ कप्पीआ ९कप्पविडंसिया १० पुफिया ११ पुष्फचुलीआ १२ वन्हि दिशा ए बार उपांग जाणवा, अने १ व्यवहार सूत्र २ बृहत्कल्प ३ दशाश्रुत स्कंध ४ निशीथ ५ महानिशीथ ६ जीतकल्प ए छ छेद ग्रंथ, तथा १ चौसरण २ संथारा पयनो ३ तंदुल वेयालीया ४ चंदाविजय ५ गणिविजा ६ देविंदथुओ ७ वीरथुओ ८ गच्छाचार ९ जोतिकरंड १० आउरपच्चखाण. ए दश पयन्नानां नाम तथा १ आवश्यक २ दश वैकालिक ३. उत्तराध्ययन ४ ओघनियुक्ति ए चार मूलसूत्र तथा १ नंदि २ अनुयोगद्वार For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy