SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) ઘનજીની સાથે વનમાં વાસ કરીને ચારિત્ર પાળ્યું હતું. ફિદ્ધાર કરનારમાં ત્યાગ અને વૈરાગ્યનું ઘણું બળ હોય છે તે, તે ક્રિયે દ્ધાર કરવા સમર્થ થાય છે. બસે બસે વર્ષના અન્તરે પ્રાય: ગચ્છમાં શિથિલતાને પરિહાર કરીને કિદ્ધાર કરવા કેઈ સમર્થ પુરૂષ ઉત્પન્ન થાય છે. ઘણા ગમાં આવું પ્રાયઃ દેખવામાં આવે છે. કિયાના ઉદ્ધારક તરીકે પન્યાસ સત્યવિજયજી વિજય શાખામાં પ્રસિદ્ધ થયા છે. શ્રી સત્યવિજયજી વગડામાં–ગામની બહારુ દેવકૂળ વગેરેમાં પ્રાય: મારવાડ અને મેવાડ દેશમાં શ્રી આનન્દઘનજીની સાથે વિશેષતઃ વિચર્યા હતા. તેઓ વૃદ્ધાવસ્થા થતાં અને જંઘાબલ ક્ષીણ થતાં શહેરમાં વાસ કરવા લાગ્યા. શ્રી સત્યવિજયજી આગમના જ્ઞાતા હતા. ગામોગામ વિહાર કરતા હતા. અનેક જીવોને પ્રતિબંધ દેતા હતા. શ્રીમદ્ આનન્દઘનના પરિચયથી તેમનામાં આત્મબળ ખીલ્યું હતું. જૈનશાસનની પ્રભાવના કરનારાઓ ઉપર આનન્દઘનજીને કેટલો બધો રાગ હેતે તે આ ઉપરથી જાણું શકાય છે. ધર્મકિયાની શુભાચરણથી જૈન ધર્મની પ્રભાવના કરી શકાય છે. વૈરાગ્ય અને ત્યાગ વિના એકલા જ્ઞાનથી કદિ કિદ્ધાર કરી શકાય નહિ. શ્રીમદ્ આનન્દઘનજીની પાસે રહેવાથી શ્રી સત્યવિજયજીમાં ઘણું ગુણે પ્રગટ્યા હતા અને તેથી તેમના ચારિત્રસંબધી કેમાં ઉચ્ચાભિપ્રાય બંધાયો હતો. શ્રી તપાગચ્છ સાગરશાખામાં વૈરાગી-ત્યાગી, કિયે દ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજની પણ કિયામાં અત્યંત ઉગ્રતા હતી. શ્રીમદ્ આનન્દઘનજી ખરેખર ગુણુનુરાગની મૂર્તિ—અને ઉદાર આશયધારક હતા. સંકુચિત દૃષ્ટિથી ન પ્રવર્તવું એ તેમને આન્તર અભિપ્રાય હતે.-જેણે પરિપૂર્ણ આગમને અભ્યાસ કર્યો હોય અને જેણે ગુરૂકુલમાં વાસ કરીને અનેક સાધુએનાં પરિણુમ અને આચારેને અનુભવ લીધે હેય, તેમ જેણે ક્ષેત્ર અને કાલભેદે ચારિત્ર અનુષ્ઠાનો પાલવામાં સામુદાયિક કાયદાઓની આવશ્યકતાને ઐતિહાસિક દૃષ્ટિથી અનુભવ કર્યો હોય, સ્થવિર સાધુઓની વર્તમાન દશાનો જેણે પૂર્ણ અનુભવ લીધે હોય, ચારિત્ર પામીને જેણે–પોતાની જાતિથી સાધુના આચારવિચારના અનેક દેશમાં પરિભ્રમણ કરી અનુભવ મેળવ્યા હોય, જેની ઘણું વર્ષ ચારિત્ર પાળતાં પારિણામિક બુદ્ધિ થઈ હોય, ઉત્સર્ગ અને અપવાદ માર્ગના ચારિત્રનું જેણે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ, ભેદે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હાય, સાધુઓ અને સાધ્વીઓની વર્તમાન કાલમાં ચારિત્ર પાળવામાં કેટલી યોગ્યતા છે તેને એકની અપેક્ષાએ અને સામુદાયિકની અપેક્ષાએ અનુભવ કર્યો હોય, આગામેથી અવિરૂદ્ધ અને જૈનશાસનની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy