SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭) જોધપુરના રાજાને પુત્ર ન હતો. તેના મનમાં રાજ્યગાદીના વારસ સંબધી વારંવાર ચિન્તા રહેતી હતી. દિવાન અને કારભારીઓ જાણતા હતા કે રાજાને પુત્રની ચિન્તા રહે છે. પ્રધાનની સાથે નવું વાતચિત કરતાં રાજાએ એક દિવસ પિતાના મનમાં પ્રાપ્તિ. રહેલી ચિતાનો પ્રકાશ કર્યો. પ્રધાને કહ્યું કે, પુત્ર એ પૂર્વભવના સંસ્કાર ઉપર આધાર રાખે છે. જૈનયતિતરીકે પ્રસિદ્ધ એવા આનન્દઘનજી મહારાજ મહાયોગી-ચમત્કારી પુરૂષ છે તેની સેવાભક્તિ કરવાથી લાભ થાય એમ આશા રહે છે. જોધપુરના રાજાએ પહેલાં અનેક બાવાઓ-મંત્રવાદીઓ અને વૈદ્યો વગેરેને આ બાબત માટે સંબંધ રાખે હતો. છેવટે હવે પ્રધાનના કથન ઉપર વિશ્વાસ મૂકીને આનન્દઘનજીની સેવાભક્તિ કરવાને ખરા અન્તઃકરણની શ્રદ્ધાથી નિશ્ચય કર્યો. શ્રદ્ધા વિના મંત્ર-યંત્ર અને ઔષધીઓને પ્રભાવ જણાતું નથી. શ્રદ્ધા વિના મહાત્માની સેવા કરવાથી ફલસિદ્ધિ થતી નથી. શ્રદ્ધા ભક્તિ વિના મહાત્માઓની આંતરડીને આશીર્વાદ લેઈ શકાતો નથી. પિતાના આત્માનું સમર્પણ કર્યા વિના અન્યના આત્માનું આશીર્વચન ગ્રહી શકાતું નથી. મહાત્માઓને વૈયાવૃત્ય, ભક્તિ, સેવા, ઉપાસના-વિનય વગેરેથી પોતાના કરી શકાય છે, તેમજ પ્રસન્ન કરી ને તેમના હૃદયનું સર્વસ્વ લઈ શકાય છે. જોધપુરના રાજાએ આનન્દઘનની ખરા અંતઃકરણથી સેવા કરી. અન્ત-સેવાભક્તિના પ્રતાપે રાજાની રાણીને પુત્રરતની પ્રાપ્તિ થઈ. રાજાઓના માનથી શ્રીમદ્ કદિ ફુલાઈ જતા નહોતા, તેમજ તેમનામાં શું છે તે અન્યને જણ્વતા નહોતા. “કાલે ચણે વાગે ઘણે ” કાંસાના જેવી સુવર્ણમાં ધ્વનિ પ્રગટતી નથી. “હીરામુ ના વછે સ્ટારd મારા મોઢ” તેમ, મહા પુરૂષે પોતાના ગુણેનું પ્રાકટય કદિ પિતાના મુખે કરતા નથી. મેડતાના રાજાએ પણ શ્રીમદ્ આનન્દઘનજીની સેવાભક્તિ કરી હતી. શ્રીમદ્ભા પરિચયથી મેડતાના રાણાનો જૈનધર્મપ્રતિ રાગ થયું હતું. શ્રીમદ્ આનન્દઘનજી પોતાની પૂજા કદિ ઈચછતા ન હતા. જૈનશાસનની સેવા કરનારાઓની સદા પ્રશંસા કરતા હતા. પન્યાસ શ્રી સત્યવિજયજી કિયાપાત્ર અને આત્માથી પુરૂષ હતા. પિતાની યથાશક્તિએ સાધુની ક્રિયાઓ કરવામાં પ્રયત્ન શીલ રહેતા G હતા. આનન્દઘનજીની સાથે તેઓ ઘણું વર્ષ પર્યત જયજીને શ્રી વનવાસમાં રહ્યા હતા અને અધ્યાત્મજ્ઞાનીની સંગતિને આનન્દઘનજી લાભ લીધો હતો. શ્રીમદ્ આત્મારામજી મહારાજ પણું સાથે વિહાર. જણાવે છે કે શ્રી સત્યવિજયજીએ કેટલાંક વર્ષ આનન્દ શ્રી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy