SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઇતિહાસ ૫ જૈન સંઘનું બંધારણ કરવા અને જૈન શાસ્ત્રોને પુનરુદ્ધાર કરવા વીર નિર્વાંણુ સંવત ૯૮૦માં દેવર્જિંગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે એક મહાપરિષદ પણ અહીં મળેલી, સમય જતાં વલ્લભપુરનું પણ પતન થયું. વઢીયાર પરગણામાં મહાતીર્થં શ્રીશંખેશ્વરની છાયામાં આવેલા પંચાસરના ચાવડા રાજા બળવાન થયા. તેમની સમૃદ્ધિથી લલચાઈ કલ્યાણુ નગરના રાજા ભૂવડે એ વખત ચઢાઈ કરી ચાવડારાજ જયશિખરીને હરાવી માર્યાં અને ગૂર્જર ભૂમિ ઉપર પેાતાની સત્તા સ્થાપી, પણ આથી કાંઈ ચાવડા વંશના ઐશ્વર્યના અંત આવ્યા નહિ. યુદ્ધના અંત પહેલાં વનમાં મેાકલી દીધેલી જશિખરીની ગર્ભવતી રાણી રૂપસુંદરીએ ચંદુર ગામ પાસે વનરાજ નામના બાલકને જન્મ આપ્યા. આ ઉત્તમ લક્ષણાવાળા બાલકને જૈનાચાર્ય શ્રીશીલગુણુસૂરિએ વર્ણાદમાં એક શ્રાવિકાને ત્યાં આશ્રય અપાવ્યે. ગુરુની સંભાળ નીચે યેાગ્ય ઉમરે પહોંચતાં જ બહાદુર વનરાજે સ્વપરાક્રમ અને ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ ચંપક શ્રેષ્ઠિની કિંમતી સલાહ તથા બહાદુરી, શ્રીદેવી શ્રાવિકાના આશીર્વાદ અને અણુહિલ રબારી જેવાં ગૂર્જર સંતાનેાની સહાનુભૂતિથી સાલંકીએને હાંકી કાઢવા અને જૈન જ્યેાતિષીએએ આપેલા શુભ મુહૂર્તે પાટણ શહેર વસાવી ત્યાં રાજધાની કરી. ગુજરાતના આ પાટનગર ઉપર શ્રીશીલગુણુસૂરિના શિષ્ય જૈનાચાર્ય શ્રીદેવચંદ્રસૂરિના આશીર્વાદ હત્યા. ગાદી ઉપર સ્થિર થતાં જ ગુરુનઃ ઉપકારને બદલેા વાળવા મહારાજા વનરાજે પંચાસરથી ગુરુ મહારાજને નિમંત્રી સમસ્ત ગૂર્જર સામ્રાજ્ય તેમના ચરણે ધર્યું. અકિંચન મુનિરાજે સદ્ધર્મ સમજાવી ધર્માર્થે ઉપયોગ કરવા તે સામ્રાજ્ય વનરાજને પાછું સોંપ્યું. ગુરુ મહારાજની ઇચ્છાનુસાર પંચાસરા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર પાટનગરમાં બંધાવ્યું. જૈનેાના હાથે અને તેમની મદદથી સ્થપાએલા આ પાટનગરના અને તેના મહારાજ્યના સાત સા વર્ષના ઇતિહાસમાં જૈનસંસ્કૃતિનું સ્થાન મહત્ત્વનું કહી શકાય. જૈનાચાર્યના આશીર્વાદ પામેલી પાટણની ગાદી ઉપર આવનાર ચાવડા, સાલંકી અને વાઘેલા રાજાઓમાં જૈન ધર્મ બહુમાન પામ્યા. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવનું જૈન ધર્મ તરકનું આસ્તિકતાનું વલણ તથા ગુર્જરેશ્વર કુમારપાળના જૈનધર્મસ્વીકાર ઇતિહાસપ્રસિદ્ધ છે. આ સમય દરમ્યાન ચંપક શ્રેષ્ઠેિ, મંત્રી વિમલ, મહેતા મુંજાલ, ઉદયન મંત્રી, સાંત મહેતા, મહામાત્ય વસ્તુપાલ, સેનાપતિ તેજપાલ વગેરે જૈન મંત્રીશ્વરી તથા દંડનાયકા, શ્રીવર્ધમાનસર, શ્રીહરિભદ્રસૂર, મલધારી શ્રીહેમચંદ્રસૂરિ, શ્રીદેવસૂરિ, શ્રીશાંતિસૂર, શ્રીસૂરાચાર્ય વગેરે જૈન વિદ્વાન અને ગુજરાતના સર્વાંગ સંપૂર્ણ ‘સિદ્ધહૈમવ્યાકરણ'ના રચનાર કલિકાલસર્વજ્ઞ મહારાજ શ્રીહેમચંદ્રસૂરિ જેવા મહાનાયકા થઈ ગયા, આ સમય દરમ્યાન પ્રાંતભરમાં રાજ્યાશ્રયથી, મંત્રીઓના ખર્ચે અગર શ્રેષ્ઠિની લક્ષ્મી વડે હુારા ભવ્ય ચૈત્યેા ગુજરાતમાં ઠેરઠેર બંધાયા તથા ગ્રંથભંડારા સ્થપાયા, જેમાંના કેટલાકની જોડી તે જગતભરમાં મળવી મુશ્કેલ છે. છેલ્લા સેાલકી રાજા ભીમદેવ ખીજાના સમયમાં મુસલમાન સત્તા ભારતમાં સ્થપાઇ અને જે ભીમદેવના હાથે પેાતે સખત હાર ખાધી હતી તે જ ભીમદેવને માંહામાંહેના કુસંપ અને અવિચારી
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy