SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ચાણકયની કુટિલ નીતિ ( ૪૧૧ } માજના સુધી ચાલે, એને દરેક પગલે લાખ લાખ (તે વખતનું ચલણું નાણું) મૂકું, એટલું ધન મારી પાસે છે. એ વાત ઉપર હાલક વગાડો. વળી તેનાથી ચડિયાતો કોઈ અતિતીવ્ર ઈર્ષોથી પૂણે, ધનપતિ નાચતે અને ગાતે ગાતે પિતાનાં મનમાં હેલો ગુપ્ત સદભાવ આ પ્રમાણે બલીને પ્રગટ કરવા લાગ્યો કે, “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થએલા અનેક સેંકડા પ્રમાણુ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ નાણું ગોઠવાય, તેટલું ધન મારી પાસે છે, તે મારું હાલ બજા.” આ પ્રમાણે સર્વ ધનપતિઓએ પણ મદ્યપાનના કેફથી પરાધીન બનીને પિતપિતાની પાસે ધન, ધાન્ય, ગાય, ઘોડાદિક હતા, તે સર્વ તેને કહી દીધું. કહેલું છે કે “અનુરાગથી કનેહપૂર્ણ મનવાળા, કે પાયમાન, ભાવથી વિરક્ત થએલા હોય, મન્મત્ત, અને મરનાર હોય તેઓના મનના ગુપ્ત સદભાવ પ્રગટ થાય છે.” આ પ્રમાણે ચાણકયે તે સર્વેના સમૃદ્ધિ-વિસ્તારને જાણીને જેની પાસેથી જેટલું પાગ્ય વાગે તેટલું મેળવીને રોકેષ ખૂબ વૃદ્ધિ પમાડયો. આ પ્રમાણે ચાણકય રાજયની ચિંતા કરતો હતો અને તે ચંદ્રગુપ્ત રાજા રાજ્યભૂમિનું પાલન કરતા હતા. હવે કોઈક સમયે ભયંકર દુષ્કાળ પડશે. - હવે તે નગરમાં સંભૂતવિજય નામના આચાર્ય મહારાજ પિતાના વૃદ્ધાવાસને કાણે ત્યાં રોકાએલા હતા, અને પોતાના શિષ્યોને સમુદ્ર કિનારા ઉપર મોકલ્યા હતા. નવા આચાર્યને જ્યારે આચાર્ય મહારાજ મંત્ર, તંત્ર ભણાવતા હતા. તે સમયે નાના સાધુએ નજીક સેવામાં હતા. તેઓ બને તે મંત્ર તંત્ર જાણી ગયા. જો કે તેઓને મોકલી તે આપ્યા હતા, પરંતુ તેઓ ગુરુને વિરહ સહન કરી શકયા નહિં, જેથી થોડે માગ કાપ્યા પછી તેઓ બંને પાછા વળ્યા. બાકીનો સાધુ-સમુદાય નકકી કરેલા સ્થાને પહોંચી ગયે. અહિં સંભૂતવિજય ગુરુમહારાજ દુષ્કાળ સમયના કારણે આવકાદિના ઘરોમાં જાતે જ ભિક્ષા લેવા જતા હતા. પ્રાસુક અને એષણીય-કપે તેવી નિષ મિક્ષા પ્રમાણે પેત જ લાવતા હતા. પહેલા શિષ્યોને બાપી બાકી જે કંઈ હે તેટલે જ પરિમિત અપાહાર પાતે લેતા હતા. એટલે વૃદ્ધાવસ્થા આવે છે આહાર લેતા હોવાથી તેમનું શરીર ઘણું દુબલ પડી ગયું. તેમના આવા દુબલ શરીરને દેખીને તે બંને શિષ્યો વિચારવા લાગ્યા કે, “આપણે અહિ પાછા આવ્યા તે ઠીક ન કર્યું. કારણ કે આપણે આવીને ગુરુ મહારાજને ભારે પડ્યા. આપણે તેમને ગાઢ પરેશાન પમાડનાર બન્યા, તે હવે જનને કાઈ બીજે માર્ગ અપનાવીએ. અદશ્ય કરનાર એવું અંજન તેઓએ આંજવું. ગુરુને કહ્યા કે જણાવ્યા વગર ચંદ્રશુપ્તના જન સમયે, અંજન અને રાજમહેલમાં એવી રીતે પ્રવેશ કર્યો કે, કોઈ પુરુષે તેમને ન દેખ્યા. તેઓ બંને શા સાથે ત્યાં સુધી ભોજન કર્યું કે, જ્યાં સુધી ધરાયા. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy