SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સનકુમાર ચક્રીની કથા [ ૭૯ ] પૂર્વિમાના ચંદ્રનો પરાભવ કરતું હતું, કામદેવના સુભટના ભાલા ચરખાં નેત્રો વિશાળ હતાં. મણિના દર્પણ સરખા ગંડતલ ચમકતા હતા, કમલના દાંડા સરખી ભુજલતા હતી, હાથ કમલ-સુંદર હતા. કમળની શોભા સમાન ઉદર હતું, કંચનના કળશ સરખા કઠણ તને હતા, કેળના સ્તંભ સમાન સુંવાળા સાથળ હતા. તેને રૂપની રેખા અને સૌભાગ્યકળશની કવિ વર્ણન કરે તે માત્ર તેનું કવન સમજવું. જે કન્યા કુરકુમાર સનસ્કુમાર ચક્રવર્તીનું નક્કી ૨મણરત્ન થવાનું છે, તેના દર્શન માત્રથી શાંતિ ઉત્કટ વૃદ્ધિ પામતો પ્રેમગુણ પ્રગટ થાય છે, તેની સાથે ક્રીડા કરતો તે નિઃશંકપણે ત્યાં જ રહેતે હતે. થોડીવાર પછી સંથા-સમયે વાવેગની બહેન ત્યાં આવી અને ભૂમિ પર પિતાના બંધુનું મૃતક દેખ્યું. કયા ક્રૂર મનુષ્ય આ મારા બંધુને મારી નાખ્યા– એમ કો૫ કરતી વિદ્યાથી જ્યાં મારવા ઉઘત થાય છે, એટલામાં નિમિત્તિયાએ આગળ કહેલું વચન યાદ આવ્યું કે, “ભાઈને મારનાર તારો વર થશે.” હર્ષવાળા હદયવાળી થઈને તેની સાથે વિવાહની અભિલાષા કરવા લાગી. સુનંદાની અનુમતિથી ન્યાયનીતિમાં નિપુણ એવા કુમારે તેની સાથે લગ્ન કર્યા. તેણે પણ ભતરને પ્રજ્ઞપ્તિવિદ્યા આપી. શ્વસુરપક્ષ તરફથી ચંદ્રવેગ અને ભાનુગ સાથે બખ્તરવાળા રથમાં બેસારીને પુત્રીને કુમાર પાસે મોકલાવી. હરિચંદ્ર અને ચંચુવેગે કુમારને આ પ્રમાણે કહ્યું કે- વ વેગના પિતા મણિવેગ પોતાના પુત્રને પંચત્વ પામ્યાન વૃત્તાત જાણીને પિતાના સૈન્ય અને સામગ્રી સહિત અતિ પામીને તમને હણવા મોકલ્યા છે. તેથી અમારા પિતાજીએ અમને અહિં મોકલ્યા છે. પિતાજી પણ હમણાં જ આપના ચરણની સેવા માટે આવી રહ્યા છે. એટલામાં આવતા સભ્યોને વાજિંત્રશબ્દ સંભળાયો. એટલે તરત જ ચંડવેગ અને ભાનુગ બંને રાજા અશનિવેગની સાથે યુદ્ધ કરવા માટે કુમાર નજીક આવી પહોંચ્યા. ક્રોધાવેશમાં આકાશમાગેથી આવતા અશનિવેગની સેનાને બહારના આકાશમાં કોલાહલ સંભતા. કુમારે આકાશમાગે તેની સન્મુખ જઈને ખેચર પરિવાર સાથે યુદ્ધારંભ કયી. (૯૦) ઉતાવળથી ચંડવેગ અને ભાનુવેગ અશનિવેગની સાથે યુદ્ધ કરતા-પ્રહાર કરતા હતા. તેમને પીડા પમાડીને તે બંનેને ઉલટે માર્ગ પમાડ્યા. કુમારની સાથે અશનિવિગ રાજાને બાથંબાથી લડાઈ થતાં અશનિવેગે મહાસ પત્ર ફેંકયું. એટલે કુમારે ગરુડવિવાથી તેનું નિવારણું કર્યું. આનેયાઅને વારુણાઅને વિસ્તાર કરી અટકાવ્યું. તામસરાસ્ત્રને ક્ષણવારમાં કઠોર કિરવાળા સૂર્યાસથી નાશ કરે છે. ત્યારપછી તરવાર ઉગામીને એકલે જ બીજા છૂરાને વરનારા રાજાઓને ડાળી કપાએલા વૃક્ષ સરખા કર્યા અને પછી અશનિવેગને પણ હયા. ત્યાર પછી લઘુવાઅથી હણવાનું કાર્ય આરંવ્યું. એટલે કુમાર દેડીને સરખી ખાંધવાળું બંધ કર્યું. અર્થાત્ મસ્તક ઉડાવી નાખ્યું. ત્યાર પછી સમગ ખેચરની રાજયશ્રી કુમારના શાસનમાં સંક્રમી, સમગ્ર ખેચર "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy