SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાતુવાદ વર્ગ પણ કુમારની સેવા કરવા લાગ્યું. ત્યારપછી ચંડવેગાદિકની સાથે તે વૈતાઢ્યમાં રાજા અશનિવેગને ઘરે રહ્યા અને બીજા પિતા પોતાના સ્થાનમાં રોકાયા. ત્યારપછી શુભતિથિ, મુહૂત, નક્ષત્ર, રોગ અને લગ્ન હેતે છતે બેચરોએ એકમત બની બેચરરાજા તરીકે તેને વિસ્તારથી અભિષેક કર્યો. વિતાઢ્ય સ્વાધીન કરી ચતુર કુમાર ત્યાં ચક્રીપણું કરતા હતા. અવસર મળતાં ચંડવેગે વિનંતિ કરી કે, “હે સ્વામિ ! આગળ અગ્નિમાલિ મુનિએ મને એમ કહેલ હતું કે, “તારી સો કન્યાનું પાણિગ્રહણ સનકુમાર ચક્રી કરશે. (૧૦૦) તમારા હસ્ત-પીડનના ઉપકાર દ્વારા તેમને જન્મ સફલ થશે.” “ઠીક ભલે એમ જલ્દી થા.” એટલે મોટો વિવાહ મહોત્સવ પ્રવા . તાલ્યના જિનમંદિરમાં અાઈ મહત્સવના મહિમા પ્રવર્તી, વળી શાશ્વત, અશાશ્વતાં બીજાં પણ તીર્થસ્થાનમાં નાટક, સંગીત, પ્રેક્ષક, પૂજાદિક પ્રકારો વિસ્તારથી પ્રવતવ્યા. બીજા પણ તીર્થોની સવિસ્તર યાત્રાઓ કરતા કરતા એક મનહર સરોવર પાસે પહોંચ્યા. મનહર બગીચામાં નાટક જોવાના ઉત્સવવાળે જયાં બેસવા જાય છે, એટલામાં મેઘ વગરની વૃષ્ટિ માફક ઓચિંતે દૂરથી આવતો એક બાળમિત્ર દે. હર્ષથી સભર થએલા રાજાએ પોતાની નજીકમાં બેલાવી લીધા. સર્વાગથી પ્રણામ કરી અતિ આનંદ પામે. તેને રાજાએ પૂછયું કે, “મહેન્દ્રસિંહ! તું અહિં કેવી રીતે આવ્યા ? અરે! માતા-પિતા, બંધુ વગેરેના શરીર ક્ષેમકુશળ વતે છે ને ? એલ, તેના ધર્મકાર્યો નિર્વિદને ચાલે છે ને ? આલિંગન કરીને પગ પાસે બેસીને પ્રાણપ્રિય મિત્ર પાંચ અંગો એકઠા કરીને બે હાથ જોડીને વિનંતિ શરુ કરી કે, માતા-પિતા કાયાથી તે કુશળ છે, પણ હૈયાથી દુઃખી છે. જયારથી અવે તમારું હરણ કર્યું, ત્યારથી દુખે કરી નિવાર કરી શકાય તેવા દુઃખને અનુભવ કરી હેલા છે અને તેમનું સુખ તે મૂળમાંથી જ ઉખડી ગયું છે. દિશા અને વિદિશામાં સર્વ જગ પર તમને ખેળવા માટે ઘણા પુરુષોને મોકલ્યા છે. સૈન્ય સહિત હું પણ ઘણું ભટકયે અને હવે તે ઉદ્દેશ કરતો એકલે જ પર્વત, નગર, ખાણ, જંગલ, સમુદ્ર, નદી વગેરે અનેક સ્થાનેમાં મેં તમને ખૂબ ખેળ્યા, પણ ક્યાંય પણ દેખવામાં ન આવ્યા. આજે આટલા વર્ષના અંતે મારા દુઃખને અંત આવ્યો અને દરિદ્રને રત્ન-નિધાન પ્રાપ્ત થાય, તેમ આજે મારા ભાગ્યમે તમારી પ્રાપ્તિ થઈ. કુમારે પણ ઘણા વિસ્તારવાળો પિતાનો વૃત્તાત કહો, તે જાણે કહેલા દૂધમાં ખાંડ નાખવા સમાન એમની સુંદર આનંદદાયક અવસ્થા થઈ. હવે વૈતાઢયે પહોચ્યા. ત્યાં ન્યાય-નીતિથી નિષ્પા૫ રાજ્યપાલન કરે છે. ત્યારે મહેન્દ્રસિંહ કા કે, “હે દેવ! માતા અત્યંત દુઃખ ભોગવી રહેલાં છે, પિતાજી અતિ ચિંતા કરે છે તે હવે તમે તે તરફ જલ્દી ચાલે.” પછી રાજા વિશાળ મણિમય વિમાનોની શ્રેણીમાં પરિ. વાર સહિત ચાલે. આકાશતલમાં અતિશય મહાન વિદ્યાધર-ખેચરની સમૃદ્ધિ સહિત હેવાથી મનહર હસ્તિનાપુરમાં સર્વ લોકોને વિસ્મય પમાડતે સનકુમાર "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy