SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય હવે ચાર શિક્ષાવ્રતોનું વર્ણન કરે છે પહેલું સામાયિક શિક્ષાવ્રત रागद्वेषत्यागान्निखिलद्रव्येषु साम्यमवलम्ब्य। तत्त्वोपलब्धिमूलं बहुशः सामायिक कार्यम्।।१४८।। અન્વયાર્થ- [ રાગદ્વેષત્યા] રાગ-દ્વેષના ત્યાગથી [ નિશ્વિનદ્રવ્યy] બધા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોમાં [સાચં] સામ્યભાવને [અવનભ્ય ] અંગીકાર કરીને [તત્ત્વોપત્નશ્ચિમૂનં] આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળ કારણ એવું [ સામાયિ5] સામાયિક [ wાર્ય ] કરવું જોઈએ. ટીકાઃ- “નિવિનંદ્રવ્યપુ રાÈષત્યાત્િ સાચું વનભ્ય તત્ત્વોપનધિ મૂર્ત સામાયિ5 વકુશ: કાર્યમ્' અર્થ-સમસ્ત ઇષ્ટ–અનિષ્ટ પદાર્થોમાં રાગદ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી, સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળ કારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે. ભાવાર્થ:- “સમ્” એટલે એકરૂપ અને “અય' એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે સમય' થયું. એવો “સમય” જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક અને દુઃખદાયક પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કરે. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે. ૧૪૮. સામાયિક કયારે અને કેવી રીતે કરવું તે બતાવે છે - रजनीदिनयोरन्ते तदवश्यं भावनीयमविचलितम्। इतरत्र पुनः समये नं कृतं दोषाय तद्गुणाय कृतम्।।१४९ ।। અવયાર્થઃ- [ તત્] તે સામાયિક [૨નનીનિયો: ] રાત્રિ અને દિવસના [ સન્ત ] અંતે [વિનિતમ્] એકાગ્રતાપૂર્વક [ અવશ્ય ] અવશ્ય [ભાવનીયમ્] કરવું જોઈએ. [પુન:] અને જો [રૂતરત્ર સમયે] અન્ય સમયે [i] કરવામાં આવે તો [ તત્ ] તે સામાયિક કાર્ય [તોષાય] દોષનો હેતુ [૧] નથી, પણ [TMાય ] ગુણને માટે જ હોય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy