SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૩ ટીકાઃ- “તત્ સામાયિષ્ઠ રનની વિનયો: મત્તે અવશ્ય વિચલિતં ભાવનીય પુન: રૂતરત્ર સમયે કોષાય તમ્ ન Çિ તત્ ગુણીય તત્ સરિતા'–અર્થ:-તે સામાયિક પ્રત્યેક શ્રાવકે રાતના અંતે અને દિવસના અંતે અર્થાત્ પ્રભાતે અને સંધ્યાકાળે અવશ્ય નિયમપૂર્વક કરવું જોઈએ અને બાકીના વખતે જો સામાયિક કરે તો ગુણ નિમિત્તે જ હોય છે, દોષ નિમિત્તે નહિ. ભાવાર્થ:- ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે, નુકસાન કદીપણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવવાર નમસ્કારમંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવવાર નમસ્કારમંત્રનો જાપ, ત્રણ ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની છૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિસમાન જ છે. ૧૪૯. सामायिकश्रितानां समस्तसावद्ययोगपरिहारात्। भवति महाव्रतमेषामुदयेऽपि चरित्रमोहस्य।। १५०।। અન્વયાર્થ:- [ષામ] આ [સામાયિશ્રિતાના ] સામાયિક દશાને પામેલા શ્રાવકોને [ ચરિત્રમોદરા] ચારિત્રમોહનો [૩યે uિ] ઉદય હોવા છતાં પણ [ સમસ્તસાવઘયો પરિદાર ] સમસ્ત પાપના યોગના ત્યાગથી [મદાવ્રતં] મહાવ્રત [ભવતિ] થાય છે. ૧. [ સામાયિકને માટે ૧-યોગ્ય ક્ષેત્ર, ૨-યોગ્ય કાળ, ૩-યોગ્ય આસન, ૪ યોગ્ય વિનય, ૫-મનશુદ્ધિ, ૬–વચનશુદ્ધિ, ૭-ભાવશુદ્ધિ અને ૮-કાયશુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે, તેમાં ભેદજ્ઞાનપૂર્વક સ્વસમ્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે, ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેણે કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે જીવને સાચા અણુવ્રત અને સામાયિકવ્રત હોય છે, જેને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદવે બાળવ્રત-અજ્ઞાનમયવ્રત કહેલ છે.] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy