SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ( ૧૫ ) “દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેરૂં તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ આંક ૩૩૪ “મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે......... આંક ૩૬૬ જ “અમે કે જેનું મન પ્રાયે કોધથી, માનથી, માયાથી, લોભી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. ૧૯૪ સ આંક ૩૪૭ સ્થળે સ્થળે આવાં અસંગ, અપ્રતિબદ્ધ સ્વદશાસૂચક વચનો તેમની અંતરંગ ચર્યા કે આત્મમગ્નતાનો અવશ્ય ખ્યાલ આપે તેમ છે. જ્ઞાન અને વૈરાગ્યની અખંડ ધારારૂપ અંતરંગ પુરુષાર્થ-પરાક્રમ બાહ્યદૃષ્ટિથી કળી 'મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.' અંતરંગ ચર્ચા ઉપર દૃષ્ટિ સ્થિર થવા શકાય તેમ નથી. માટે જ કહ્યું છે કે મુમુક્ષુતાનાં નેત્રોની આવશ્કતા છે. સી. એમ. thex 255 મી 0 1846 ગોવાર હું જનક રાજા રાજ્ય કરતાં છતાં પણ જેમ વિદેહીપણે વર્તતા હતા અને ત્યાગી સંન્યાસીઓ કરતાં વધારે ચઢતી અસંગ અપ્રતિબદ્ધ વિદેહી દશામાં રહી આત્માનંદમાં ઝીલતા હતા, તથા ભરત મહારાજા ચક્રવર્તીપદનું સમર્થ ઐશ્વર્ય તેમજ છ ખંડના સામ્રાજ્યની ઉપાધિ વહન કરતાં છતાં પણ અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે આત્મદશા સંભાળી અલિપ્ત ભાવે રહી આત્માનંદને આસ્વાદતા હતા, તેમ આ મહાત્મા પણ સમયે સમયે ૧૯૪૬ - બળવત્તર જ્ઞાનવૈરાગ્યની श्रीमान राजचन्द्र ૧૯૪ અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો જાય એવા બળવત્તર જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્તધારાથી કોઈ અપૂર્વ અંતરંગ ચર્ચાથી રાગદ્વેષ આદિનો પરાજય કરીને મોક્ષપુર પ્રત્યે પહોંચવા જાણે વાયુવેગે ત્વરિત ગતિથી ધસી રહ્યા ન હોય ! એમ અત્યંત ઉદાસીનતાપૂર્વક આત્માનંદમાં લીન અંતર્મગ્ન રહેતા હતા, તેમ તેમનામાં આ ગ્રન્થનાં લખાણોમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થવા યોગ્ય છે. અને અનેક શાસ્ત્રોના પઠનથી પણ જે લાભ પ્રાપ્ત વા વાય સતી देहविलय થવો મુશ્કેલ છે, તે લાભ આ એક જ ગ્રન્થના શાન્તભાવે પઠન મનન પરિશીલન વા અભ્યાસ દ્વારા જિજ્ઞાસુઓ સહેલાઈથી પામી પોતાને ધન્યરૂપ, કૃતાર્થરૂપ કરી શકે તેમ છે. वि.संवत् २०५७ चैत्र कृष्ण ५ તેમજ તેમની અંતરંગ અંતરંગ અસંગ, અપ્રતિબદ્ધ, જીવન્મુકત, જીવન્મુકત, વૈરાગ્યપૂર્ણ વિદેહી, વીતરાગ, સમાધિબોધિમય, અદ્ભુત, અલૌકિક, અર્ચિત્ય, આત્મમગ્ન, પરમશાંત, શુદ્ધ. સચ્ચિદાનંદમય સજાત્મ દશાની ઝાંખી થતાં, સગુણાનુરાગીને તો પોતાની મોહાધીન પામર દશા જોતાં, સમસ્ત માન ગળી જઈ આવી ભિન્ન ભિન્ન અવસ્થા ઉચ્ચતમ દશા પ્રત્યે સહેજે શિર ઝૂક્યા વિના રહે તેમ નથી. અને તે અલૌકિક અસંગ દશા પ્રત્યે પ્રેમ, પ્રીતિ, ભક્તિ પ્રગટી તેમના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાર્થસ્વરૂપ, સાચા સ્વરૂપની ઓળખાણ થતાં તેમનામાં પ્રગટેલા શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણતારૂપ રત્નત્રયાદિક આત્મિક ગુણો-પ્રગટ મૂર્તિમાન મોક્ષમાર્ગ-પ્રત્યે અત્યંત પ્રમોદ,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy