SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ( ૧૬ ) પ્રેમ, ઉલ્લાસ આવવા યોગ્ય છે. પ્રાન્તે પોતામાં પણ તેવો જ પરમાત્મસ્વભાવ જે અનાદિથી અપ્રગટ છે તેનું ભાન થઈ, તે પ્રગટ કરવાનો લક્ષ અને પુરુષાર્થ જાગતાં, આત્મા પરમાત્મા થઈ પરમ શ્રેયને પ્રાપ્ત કરી શાશ્વતપદે વિરાજમાન થવા ભાગ્યશાળી બને, ત્યાં સુધીનો સન્માર્ગ અને સત્સાધના સંપ્રાપ્ત થવા યોગ્ય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જૂઠાભાઇ શ્રી અંબાલાલભાઈ આદિ ઉજ્જ્વળ આત્માઓ આ સગુણાનુરાગી મુમુક્ષુનાનાં નેત્રો કે અલૌકિક દૃષ્ટિ પામી શ્રીમદ્ની સાચી ઓળખાણ કરવા ભાગ્યશાળી બન્યા. અને તેથી આત્મજ્ઞાનાદિ ગુણોથી વિભૂષિત થઈ સ્વપર શ્રેયસ્કર બની ગયા, એ પ્રત્યક્ષ દષ્ટાંતરૂપ છે. આ આવૃત્તિ સંબંધી: આ આશ્રમ તરફથી સં. ૨૦૦૭માં આ ગ્રન્થની પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધિ પામી છે અને હવે આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધિ પામે છે. તે ઉપરાંત પહેલાં અન્યત્ર પ્રસિદ્ધ પામેલી બીજી આવૃત્તિઓ તે તો જુદી. સમજ આ આવૃત્તિમાં આ પહેલાંની પ્રથમાવૃત્તિ કરતાં ખાસ કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે પત્રાંક પ્રથમાવૃત્તિમાં છે તે જ આમાં જાળવી રાખવામાં આવ્યા છે. તેમજ મથાળે ડાબી બાજુએ કૌંસમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની આવૃત્તિના જે આંક આ પહેલાંની પ્રથમાવૃત્તિમાં છે તેમજ રાખવામાં આવ્યા છે. પ્રથમાવૃત્તિમાં મોક્ષમાળા જે ભાવનાબોધની પછી હતી તે આમાં ભાવનાબોધ કરતાં પહેલી લખાયેલી હોવાથી ભાવનાબોધની આગળ મૂકવામાં આવી છે. || પ્રથમાવૃત્તિમાં લખાણ જરા તેટલું આછું રાખ્યું છે, તેથી પાન G ગાઢું હતું એટલું આમાં નહી રાખતાં, વાંચવામાં સુગમતા થવા અર્થે, જોઈએ 55066 નામે નંબર ગઈ આવૃત્તિનો જ જળવાઇ રહ્યો નથી અર્થાત્ પાનાની સંખ્યા આમાં વધવા પામી છે. તેથી આ ગ્રન્થ બે વિભાગમાં બાંધવાનું ઉચિત માન્યું છે. તેમાંનો આ પ્રથમ વિભાગ થઈ ગયો હોવાથી તેને મેળવવાને આતુર જિજ્ઞાસુજનોના કરકમળમાં હવે તે મૂકતાં અત્યાનંદ અનુભવાય છે. અને થોડા વખતમાં બીજો ભાગ પણ તૈયાર થયે મુમુક્ષુઓના કરકમળમાં પ્રાપ્ત થશે એમ આશા છે. ૪૮ सदगुरु ૧૯૪૮ આ ભાગમાં જે લખાણ છપાયું છે તે માટેનાં અનુક્રમણિકા અને શુદ્ધિપત્રક આમાં મૂકવામાં આવ્યાં છે. તેમજ ‘પત્રો વિષે વિશેષ માહિતી'વાળું પરિશિષ્ટ પણ આ વિભાગમાં છપાયેલા પત્રો વિષેની માહિતી માટે આ સાથે આપવામાં આવ્યું છે. હવે પછીના બીજા વિભાગમાં જે લખાણ આવશે તેનાં અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, અને પત્રો વિષે વિશેષ માહિતી તેમાં આવશે, તે ઉપરાંત બાકીનાં પરિશિષ્ટો જે પ્રથમાવૃત્તિમાં છે તે બધાં જ આ ગ્રન્થના બીજા વિભાગમાં છેવટે મૂકવામાં આવશે, મોંઘવારીના કારણે આ ગ્રન્થની મૂલ્યે મુમુક્ષુ સજ્જનો તેનો લાભ લેવા સજ્જનોએ ઉદાર વૃત્તિથી સારી આર્થિક જ ૨ देहविलय જેથી ગ્રન્થનો અભ્યાસ સુગમ બનશે. वि.सं. १९५ चैत्र करण પડતર કિંમત વધી ગયેલી હોવા છતાં પડતર કિંમત કરતાં પણ ઓછા મે તે હેતુથી જ્ઞાન ભેટ જે જે પામે તે હેતુથી આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ આપીને જે જે જિજ્ઞાસુ સહાયતા કરી છે તે સર્વનો અત્રે આભાર માનવામાં આવે છે. તે સર્વના ભિન્ન ભિન્ન અવસ્થા નામની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયન્તિલાલ દલાલે ખાસ અંગત કાળજી અને રસ લઈ આ ગ્રન્થ ઝડપથી છપાઈને પ્રસિદ્ધિ પામે તે માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે તે માટે તેમને અભિનંદન ઘટે છે. એ જ કારણે આટલી સુંદર રીતે અને ત્વરાથી આ ગ્રન્થ પ્રસિદ્ધિ પામ્યો છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy