SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ છે, એ પણ વ્યવહાર છે. સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ ! “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”. પોતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ પોતાના પરિણામોથી ઉત્પન્ન થાય છે. ચાર ઘાતિ (કર્મ) નો નાશ થાય છે તો (જ્ઞાન), કેવળજ્ઞાનપણે ઉત્પન્ન થાય છે, એવી અપેક્ષા નથી. આહા.... હા! એમ એક દર્શનમોહનીય કર્મ છે, જો એનો અભાવ થાય છે, તો અહીં સમ્યકત્વની પર્યાય થાય છે; એવી પણ અપેક્ષા નથી. એમ પોતાના આત્મ (-દર્શન) -સમ્યગ્દર્શન (અર્થાત્ ) શુદ્ધ ચૈતન્ય આત્માનો સાક્ષાત્કાર (અર્થાત્ ) જેવો આત્મા છે તેવો, જ્ઞાનમાં આવીને, અનુભવમાં આવીને, પ્રતીતિ કરી અને પછી એમાં લીનતા થાય છે. –એ લીનતા, પણ પોતાના દ્રવ્યના આશ્રયે થાય છે. પણ ખરેખર તો એ લીનતા, પોતાના પકારક પરિણમનથી ઉત્પન્ન થાય છે. દ્રવ્ય (ના) આશ્રયે ઉત્પન્ન થાય છે, એ પણ એક વ્યવહારસંબંધ બતાવવો છે. બહુ ઝીણી વાત! એ વાત તો ચાર દિવસ ચાલી. આજે પાંચમો દિવસ છે. એ તો ગંભીર વાત છે, પાર નહીં (આવે) એવી (છે) ! અમૃતચંદ્ર આચાર્યની ટીકા અને કુંદકુંદાચાર્યનો શ્લોક, એક એક શ્લોકમાં ગંભીરતાનો પાર નહીં !! આહા.... હા.. હા! અહીં હવે બીજું આવ્યું. જીવ પોતાની પર્યાયમાં ક્રમથી-ક્રમકાળમાં-પોતાના ઉત્પત્તિકાળમાં પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે. અહીં પરિણામ નિર્મળ લેવાં, મલિન નહીં. કેમ કે દ્રવ્યમાં અનંત ગુણો હોવા છતાં પણ, એવો કોઈ ગુણ નથી કે જે પર્યાયને વિકૃત કરે. એવા અનંત ગુણનો પિંડ પ્રભુ (આત્મા) પોતાની પર્યાયથી ઉત્પન્ન થાય છે. એવી (જ) રીતે અજીવ પણ પોતાની પર્યાયથી ક્રમસર (ક્રમબદ્ધ) ઉત્પન્ન થાય છે. આહા.... હા.... હા! સમજાય છે કાંઈ? “અજીવ પણ ” કેમ કહ્યું? કેઃ જીવની વાત પહેલાં ચાલી છે ને...? તો અજીવ પણ (ક્રમબદ્ધ). આ આંગળી આમ... આમ હાલે છે. એ પર્યાયમાં ક્રમબદ્ધ-સ્વકાળમાં હાલવાની ક્રિયાનું પરિણામ છે. થવાનું હતું તો થયું છે. (એ) આત્માથી થયું છે, અને આત્માએ ઈચ્છા કરી તો આંગળી ચાલે છે, ( એમ નથી). ભગવાનની પૂજામાં (બોલે છે ને....) સ્વાહા...! એ સ્વાહાની ભાષાની પર્યાય, અજીવમાં ક્રમસર થવાવાળી થઈ છે. ઝીણી વાત ! આહા... હા ! મંદિર બનાવ્યું ને...! એ તો અજીવની પર્યાય, (જે) કમથી આવવાવાળી હતી, તે આવી છે. એમાં આત્માને શું? એ તો અહીં કહે છે “અજીવ પણ ક્રમબદ્ધ”. એ પૈસાની પર્યાય, જે સમયે એ ક્ષેત્રમાં આવવાવાળી હતી. (છતાં) તેમાં (કોઈ) માની લે કે “પૈસા મારા છે' તો એ મિથ્યા-મૂઢ છે. પૈસાની-અજીવની-પર્યાય ક્રમબદ્ધમાં, જે સમયે જ્યાં ક્ષેત્રોતરમાં થવાવાળી છે, ત્યાં થાય છે. (તેમ છતાં, કોઈ ) બીજો પ્રાણી કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy