SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates " [પ્રવચનઃ તા. ૨૫-૭-૭૯ ] સમયસાર ' સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. આ અધિકાર મોક્ષ અધિકારની ચૂલિકા છે. ચૂલિકાનો અર્થ એ છે કે: પહેલાં કહ્યું હોય તે પણ કહેશે અને ન કહ્યું હોય તે પણ વિશેષ કહેશે. એમાં ઘણું સ્પષ્ટ આવ્યું છે. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ! ૧૪મી ગાથા ને ૩૮મી ગાથા! તો એમાં બધું આવી જાય છે. ૧૪મી ગાથામાં એ કહ્યું કેઃ પોતાનો ભગવાન આત્મા અબદ્ધ છે; રાગથી બદ્ધ નથી; કર્મથી બદ્ધ નથી; અને એક પર્યાય જેટલો (પણ) નથી. તો ‘એ વાત ’ અહીં આવે છે. ભગવાન ( આત્મા ) અબદ્દસૃષ્ટ છે. અબદ્વત્કૃષ્ટમાં નાસ્તિથી થન છે. અસ્તિથી કહો તો મુક્તસ્વરૂપી ભગવાન અંદરમાં છે. દ્રવ્યસ્વરૂપ જે દ્રવ્ય-વસ્તુ છે, તે તો મુક્ત સ્વરૂપ છે. એને અબદ્ધ કહીને જે મુક્ત સ્વરૂપનું જ્ઞાન કરે છે, મુક્ત સ્વરૂપની પ્રતીતિ કરે છે, મુક્ત સ્વરૂપનો અનુભવ કરે છે, તે આખા જૈનશાસનનો અનુભવ કરે છે. એ ૧૫મી ગાથામાં કહ્યું. તો એમાં ૧૪મી, ૩૮મી ( ગાથામાં) બધું આવી ગયું છે. ૭૩મી ગાથામાં પણ એ કહ્યું કે: આ એક સમયની પર્યાય અને પરથી તો ભગવાન ભિન્ન જ છે. રાગથી પણ ભિન્ન છે. અને સ્વદ્રવ્યના આશ્રયથી પોતાની જે નિર્મળ-ધર્મની પર્યાય ઉત્પન્ન થાય છે, એ ( પર્યાય ) પટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થાય છે. દ્રવ્યથી પણ નહીં. અહીં એ કહ્યુંઃ પોતાનો આત્મા મસ૨ પોતાનાં નિર્મળ પરિણામે ઉત્પન્ન થાય છે. વસ્તુ તો વસ્તુ છે ત્રિકાળ. ત્રિકાળ નિર્મળ, શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન-સિદ્ધસ્વરૂપ પ્રભુ (આત્મા) શુદ્ધ છે, બુદ્ધ છે, જ્ઞાનનો પિંડ છે! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો '. એમાં એ ષટકારકની પરિણતિ-ધર્મની હોં! વિકારની નહીં-ધર્મની પરિણિત જે પર્યાયમાં છે, ( અર્થાત ) પોતાની પર્યાયમાં ચૈતન્ય શુદ્ધ ભગવંતનો અનુભવ, એની પ્રતીતિ, એનું જ્ઞાન, એમાં લીનતા (થાય છે) –એ પર્યાય, પારકથી પોતાથી ઉત્પન્ન થાય છે. આહા... હા... હા! –એ કહ્યું તે જ અહીંયાં કહ્યું (કેઃ ) · પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે'. -એનો અર્થ: એ નિર્મળ પરિણામ ષટ્કારકી ઉત્પન્ન થાય છે. " . સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૬૧ આહા...હા...હા ! ઝીણી વાત છે, ભાઈ ! ધર્મ-વીતરાગનો ધર્મ-વીતરાગ-સ્વભાવથી ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વભાવ એ પોતાનાં પરિણામ છે. તો એ પરિણામ ઉત્પન્ન ક્યાંથી થયાં ? કે: ત્રિકાળી વીતરાગસ્વભાવ છે એના આશ્રયથી થયાં. સમજાણું કાંઈ? આ તો પહેલી લીટીના થોડા શબ્દ છે: જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી (ઊપજતો થકો જીવ જ છે)”. દ્રવ્ય તો દ્રવ્ય જ છે. પણ એની જે નિર્મળ પર્યાય થાય છે, તે પણ ‘ક્રમબદ્ધ' ( છે ). પોતાની પર્યાયના કાળમાં (થાય છે). એ પર્યાયની જન્મક્ષણ છે. એ પર્યાયની ઉત્પત્તિનો કાળ છે. ‘પ્રવચનસાર ’ ગાથા ૧૦૨માં (છે). આહા... હા ! “ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો ”– (એમ ) કેમ કહ્યું ? કેઃ પરિણામ દ્રવ્યની પર્યાય છે. એ અપેક્ષાથી કહ્યું. બાકી દ્રવ્યથી (પરિણામ ) ઉત્પન્ન થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy