________________
૨૫૨ : સ્વાધ્યાય સંચય
બીજા શ્રી અજિતનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ?
પંથડો - ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સકલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર,
પંથડો ૦ ૨ પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.
પંથડો ૦ ૩ તર્ક વિચારે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
પંથડો - ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડયા નિરધાર; તરતમ જોગ રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.
પંથડો - ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘનમત અંબ.
પંથડો - ૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન અજિત જિણંદશું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીઓ, કિમ બેસે હો બલિ તરુ ભંગ કે.
અજિત ૦ ૧