SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ • અનંતગુણે અનુભાગ કાંડ ચડે છે અને અપ્રશસ્ત પ્રકૃતિને અનંત ભાગ બાકી રહે છે એ પ્રમાણે અપૂર્વ પ્રવૃત્તિ કરણની વાત કહી. હવે સ્થિતિ કાંડ વગેરે કાર્યનું વિશેષપણું તે અનિવૃત્તિકરણમાં જાણવું. તેમાં વિશેષપણું એ છે કે અહીં સમાન સમયવતી અનેક ના પરિણામ સરખાં છે. આથી નિવૃત્તિ કરણમાં અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલાં જ તેના પરિણામ છે એટલે સમયે સમયે એકેક પરિણામ છે. જો કે આમાં સ્થિતિ ખંડ, અનુભાગ ખંડ વગેરેને પ્રારંભ બીજા પ્રમાણથી પણ લીધે હોય છે, તે અપૂર્વકરણ સંબંધી જે સ્થિતિ ખંડ વગેરે હતાં તેને છેલ્લે સમયે સમાપ્તિ પણને પામ્યાં. અહીં એ પ્રજન છે કે અનિવૃત્તિ કરણના છેલ્લા સમયમાં દર્શન મેહની અને અનંતાનુબંધી ચોકડી ની પ્રકૃતિ, સ્થતિ, પ્રદેશ અને અનુભાગને સમસ્તપણે ઉદય થતું નથી પણ ઉપશમ થવાથી તત્વાર્થ (જૈનશાસ્ત્ર) ની શ્રદ્ધારૂપ સમ્યકત્વ થાય છે તે ઉપસમિક સમ્યકત્વ છે. सूत्र-सम्यग्द्रष्टि श्रावक विरतानन्त वियोजक दर्शन मोह क्षपकोपशम कोप शांत मोह क्षपक- . क्षीणमाहजिनाः क्रमशोऽ संख्ययगुण निर्जराः | (તસ્વાર્થ સૂત્ર અ. દ). અથ–(૧) પ્રથમ ઉપશમ સમ્યકત્વની ઉત્પત્તિ રૂપ જે અનિવૃત્તિકરણ તેના છેલ્લા સમયમાં વર્તતે વિશુદ્ધમાં વિશુદ્ધ સાતિશય મિથ્યા દ્રષ્ટિ જે જીવે છે તેને આયુકર્મ સિવાયનાં સાત * આ સ્થિતિ ખંડ વગેરે થવાને વિશેષ અધિકાર પણ છે પણ અહીં તે ગ્રંથ ગૌરવની બીકે લખ્યો નથી.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy