SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અધઃપ્રવૃત્તિકરણના ૪ આવશ્યક છે. (૧) સમય સમય પ્રત્યે વિશુદ્ધતામાં અનંત ગણે વધારે. (૨) સ્થિતિ બંધ શ્રેણી એટલે પહેલા લીધેલાં કર્મને જેટલા પ્રમાણમાં સ્થિતિ બંધ થતું હતું તેને ઘટાડી ઘટાડી સ્થિતિ બંધ કરે. (૩) શાતા વેદનીય વગેરે જે પ્રશસ્ત (રૂડા) કર્મ પ્રકૃતિ છે તેમાં સમયે સમયે અનંતગુણ વધારે થતાં ગેળ, ખાંડ સાકર, અને અમૃત આ ચાર ક્રમે અનુભાગ બંધ છે. (૪) અશાતા વેદનીય વગેરે જે અપ્રશસ્ત (અશુભ) કમ પ્રકૃતિ છે તેમાં સમયે સમયે અનંત ગુણે ઘટાડે થતાં લીંબડો અને કાંજી સમાન બે સ્થાનમાં અનુભાગ બંધ છે પણ તે હળાહળ ઝેર જે નહિ. આ પ્રમાણે ચાર આવશ્યક સમજવાનાં છે. (૨) અધ:પ્રવૃત્તિ કરણમાં અંતમુહૂર્ત કાળ જાય ત્યારે બીજું અપૂર્વકરણ થાય છે. અધઃકરણના પરિણામથી અપૂર્વકરણનાં પરિણામ ઘણા છની અપેક્ષાથી કહીએ તે અસંખ્યાત લેક ગુણા છે. પણ એક જીવની અપેક્ષાએ તે એક સમયમાં એકજ પરિણામ થાય છે અને એ રીતે ગણતાં એક જીવની અપેક્ષાએ તે અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલાં જ પરિણામ થાય છે. અધ:પ્રવૃત્તિ કરણમાં પણ એક સમયમાં એક પરિણામ થાય છે અને ઘણુ જીની અપેક્ષાએ અસંખ્ય પરિણામ જાણવાં. અપૂર્વ કરણનાં પરિણામે સમયે સમયે સરખી રીતે વધે છે. પણ નીચેના અને ઉપરનો સમયનાં પરિણામ સરખાં હતાં નથી. પહેલાં સમયની ઉત્કૃષ્ટ શુદ્ધતાથી બીજા સમયની જઘન્ય શુદ્ધતા અનંતગુણ છે. એવી રીતે પરિણામનું અપૂર્વપણું હેવાથી તેને અવકરણ કહે છે. અપૂર્વકરણના પહેલા સમયથી માંડી છેલ્લા સમય સુધી એક સમયના જઘન્ય ભાગથી તેજ સમયના ઉત્કૃષ્ટ ભાગ તથા પૂર્વ સમયના ઉત્કૃષ્ટ ભાગથી પછીના સમયને જધન્ય ભાગ સર્પની ચાલની પેઠે અનતગુણે વિશુદ્ધ છે. આ ક્રમમાં અનુત્કૃષ્ટપણું નથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy