SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પક માંડીને પૂર્વ સ્થિતિના સંખ્યામાં ભાગ જે દેશે ઉણી એક કેડાકેડ સાગર લગી છે તેમાં આયુષ્ય સિવાય બાકીનાં સાત કર્મને સ્થિતિ બંધ કરે છે. આ દેશે ઉ| એક કોડા કેડ સાગર લગીને સ્થિતિ બંધ છે તેમાં પલ્યને અસંખ્યાતમે ભાગ ઓછો થતાં સ્થિતિ બંધ અંત મુહુર્ત સુધી સમાનતાને લીધે કરે છે. એવા કમથી સ્થિતિ બંધની સંખ્યાની શ્રેણીઓ કરી, પૃથક એટલે ૭૦૦ તથા ૮૦૦ સાગર ઓછા થાય ત્યારે બીજું પ્રકૃતિબંધ શ્રેણસ્થાન થાય છે. એવાને એવા ક્રમથી એટલા ને એટલા સ્થિતિબંધ ઘટાડતાં એકેક સ્થાન થાય છે. એ પ્રમાણે બંધના ૩૪ શ્રેણ સ્થાન છે. ત્યાંથી માંડીને પ્રથમ ઉપશમ સમ્યકત્વ લગી બંધ થતું નથી, ત્યાં સુધી ચેથી લબ્ધિ સમજવી. (૫) પાંચમી કરણલબ્ધિ છે તે ભવ્ય જીવનેજ થાય છે. તેના ૩ ભેદ છે. ૧ અધઃકરણ, ૨ અપૂર્વકરણ, ૩ અનિવૃત્તિ કરણ. એ ત્રણમાં અનિવૃત્તિ કરણને કાળ અ૫ અંતમુહૂર્ત પ્રમાણે છે, તેનાથી સંખ્યાત ગુણે કાળ અપૂર્વકરણને છે, અને તેનાથી સંખ્યાત ગુણો કાળ અધ:પ્રવૃત્તિ કરણને છે, છતાં તે પણxઅંતર્મુહુર્તજ છે. વળી ત્રણે કાળના અનેક જીને ગણીએ તે આ અધ:પ્રવૃત્તિ કરણના કાળને વિષય, પરિણામની વિશુદ્ધતાના કામે અસંખ્યાતા લોક પ્રમાણે છે. આ વિશુદ્ધતાનાં પરિણામમાં અધ:પ્રવૃત્તિ કરણને જેટલા સમય છે ત્યાં લગી સમાન વૃદ્ધિના કેમે સમય સમયમાં વધારો થાય છે. આથી આ કરણમાં નીચેના સર્મયમાં થતા પરિણામની સંખ્યા અને વિશુદ્ધતા, ઉપરના સમયમાં થતા કેઈપણ જીવના પરિણામ અને વિશુદ્ધતા સાથે મળતાં આવે છે. આથી એનું નામ અધઃપ્રવૃત્તિકરણ છે. આ આને વિશેષ ખુલાસે લબ્ધિસાર નામે ગ્રંથમાં છે. કષાયની મંદતાને કરણ કહે છે. અંતના અસખ્યાતા ભેદ છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy