SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પર વગેરે શુભ પ્રકૃતિઓના બંધથી ધર્માનુરાગ થાય છે અને ધર્માનુરાગથી શુભ પરિણામની પ્રાપ્તિ થતાં વિશુદ્ધ લબ્ધિ ઉપજે છે. (૩) છ દ્રવ્ય અને નવ પદાર્થનું સ્વરૂપ આચાર્ય મહારાજના ઉપદેશથી ઓળખે તેને દેશના લબ્ધિ કહે છે. +(૪) આ ત્રણ લબ્ધિવાળે જીવ સમયે સમયે વિશુદ્ધતાને વધારો કરે, આયુકર્મવિના સાત કર્મની દેશે ઉણી કેડાર્કોડ સાગરોપમની ફકત સ્થિતિ રહે; એ વખતે જે પૂર્વ સ્થિતિ હતી, તેથી એક ભાગ છેરી તે ભાગના દ્રવ્યની બાકી રહેલી સ્થિતિ વિશેષ રીતે નિક્ષેપણ કરે, ખપાવે), તે વખતે ઘાતી કર્મને રસ પર્વતની સ્થિતિ રૂપેનહિ પણ લાકડા તથા લતા જે રહે અને અઘાતી કર્મને રસ હળાહળ ઝેર રૂપે નહિ પણ લીમડા તથા મંછ રૂપે રહે. તેમજ પૂર્વે જે અનુભાગ (રસ)હતે તેના અનંત ભાગ કરી ઘણું ભાગને રસ કાપી, છેડા ભાગને રસ પ્રાપ્ત કરે. આ પ્રમાણેનું કામ કરવાની યોગ્યતા મેળવવી તેને પ્રાગતા લબ્ધિ કહે છે. વળી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને સંકલેશ પરિણામ થતાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભાગને સત્વ થાય માટે જીવથી પ્રથમ ઉપશમ સમકિત ગ્રહણ કરાતું નથી, તેમજ વિશુદ્ધ ક્ષયક શ્રેણીમાં હેય તેવા જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય સ્થિતિ અનુભાગ પ્રદેશને સત્વ છતાં પણું સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. પહેલાં મિથ્યા દ્રષ્ટિ જીવ ઉપશમ સમકિતને સન્મુખ થાય છે. પછી વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે - કરતે ચડે છે. એ ચડવાને કાળ પ્રગ લબ્ધિના પ્રથમ સમયથી અશુભ કર્મના રસને ઉદય ઘટવાથી અને સંકલેશમય પરિણામની હાનિ થાય ત્યારે વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ સ્વભાવથી જ થાય છે. નરક ગતિ વગેરેમાં ઉપદેશક નથી ત્યાં પૂર્વ જન્મમાં જે તત્વ હાર્યા છે તેના સંસ્કારથી અને પરમાધામી દેવના ઉપદેશથી સમ્યકત્વ થાય છે. આ પ્રયોગતા લખ્યિ ભવ્ય અને અભિવ્ય બંનેને સામાન્ય થાય છે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy