SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ વહેતી નદીને પૂરને એકદમ કોઈ રોકવા ચાહે તે કદી પણ રેકી શકશે નહિ. પણ તે પ્રવાહને બદલાવવા પ્રયત્ન તે થઈ શકે. બસ, એજ રીતે મનના વેગને બદલાવવાના અભ્યાસની આવશ્યકતા છે. " આ અભ્યાસ એવી જાતને કર જોઈએ કે, જે વખતે શબ્દ, રૂપ, રસ વગેરે જે જે વિષયનાં પુગમાં મન ઍટે તેજ વખતે તે તે પુગળના સ્વભાવ, ગુણ અને ફળને [ એટલે આ વિષય તે ક્ષણિક છે, તેનાં ફળ કડવાં છે, એવી વિચારણને ] અભ્યાસ રાખવાથી કઈને કઈ દિવસ પણ મન ઇંદ્રિના વિષયથી નિવૃત્તિપણાને પામશે. ધ્યાનમાં મનને સ્થિર કરવા સારૂ એકાગ્રતા રાખવાને અભ્યાસ કર. મન એકદમ એકાગ્ર થવું મુશ્કેલ છે, પણ અભ્યાસથી તે પણ થઈ શકે છે. આપણે જે જે કામ નિત્ય અને નિયમસર કરવાનાં છે, તેમાં પ્રથમ મનને એકાગ્ર કરવું જોઈએ. પ્રતિકમણ ચાલતું હોય તે મનને એ પ્રતિકમણના શબ્દ, અર્થ વગેરેમાં ચટાડવું. પ્રતિક્રમણને વિચાર છેડી બીજી તરફ જવા દેવું નહિ. એ જ પ્રમાણે સય ( સ્વાધ્યાય) કરતી વેળા સ્વાધ્યાયમાં, વ્યાખ્યાન આપતી વખત વ્યાખ્યાનમાં, ગોચરી અને આહાર કરતી વખતે તે તે કામમાં, આ પ્રમાણે શત અને દિવસનાં જે જે કર્તવ્ય છે તે તમામમાં સદા સર્વદા ક્ષણને પણ અંતર પાડયા વગર મનને એકાગ્ર કરવાને અભ્યાસ પાડે. કેટલાક કાળ લગી આ પ્રમાણે થયાં કરશે તે સહજે મન એક વસ્તુ પર ટકી જશે અને તે પછી તે દરેક ઈષ્ટ પદાર્થ પર મન એકાગ્ર રહેવા મડશે. અભ્યાસ પાડેલા વૈરાગ્યથી મને અડોલ અને ધ્યાની બને છે. यस्त्व विज्ञानवान् भवत्यमनस्कः सदाऽशुचिः॥ न स तत् पदमाप्नोति स सारं नाधिगच्छति ॥१॥
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy