SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ વખત ઉપકને મૃત્યુ પામી તમામ પ્રકારની વિટંબના ભોગવી આવે છે. આ ચાર ગતિના દુખેનું ટુંકામાં વર્ણન કર્યું. નરક અને નિગદનાં રખે અપાર છે. આ પ્રમાણે આ સંસાર દુઃખથી સંપૂર્ણ ભરેલે છે અને એ દુઃખે આપણું જીવે અનંતીવાર સહન કર્યો છે. गाथा-धीधी धी संसार, देवो मरिउण जं तिरीयं होइ, मरिउणं राय राया, परिपञ्चइ निरय जालाए; (જૈન વૈરાગ્ય શતક શ્લોક ૫૫ ). અર્થ-કેઈને એક વખત કેઈને બે વખત ધિકકાર દેવા માં આવે છે. પણ આ સંસારને તે ત્રણ વખત ધિકકાર છે. કારણ કે દેવતા જેવી મહા સદ્ધિવાળી, ભારે સુખે ભેગવનારી જાતિને મરીને પૃથ્વી પાણી, વનસ્પતિ વગેરે તિર્યંચ ચેનિમાં ઉપજવું પડે છે, અને રાજાઓના પણ રાજા એવા ચકવતિ મહારાજાઓને મરીને નરકમાં જવું પડે છે. કેવી આશ્ચર્યની વાત છે કે એક તરફ આહીં ચક્રવતિ મરણ પામતાં તેના શબરૂપી દેહને મસાણમાં લઈ જવા સારૂ શણગાર, ધામધુમ, વગેરે કિયા, અર્ચા, કરે છે, અને બીજી તરફ તેને જીવ જે નરકમાં ઉપજે છે ત્યાં તેના શરીરને યમદેવ (પરમાધામી) તાડન મારણ કરે છે. જુઓ શું શરીરના હાલ અને શું જીવના હાલ! માટે મહાન પુણ્યના પ્રતાપે મનુષ્ય જન્મરૂપી દુર્લભ સામગ્રી જે તને મળી છે તેનાથી ભવ ભ્રમણથી છૂટવાના ઉપાય કરી, અનંત, અક્ષય, આવ્યાબાધ, મોક્ષ સુખ મેળવવું જોઈએ. આ ધર્મ ધ્યાનના ધ્યાનારની ચાર અનુપ્રેક્ષા એટલે વિચા૨ણનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એ ચાર અનુપ્રેક્ષામાં રમણ કરવાથી ધર્મ ધ્યાનમાં એકાગ્રતાને લાભ થાય છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy