SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ધર્મ ધ્યાનનાં પુષ્પ અને ફળ.” આ ધર્મ ધ્યાનમાં એકાંતતા ન હોવાથી, એટલે પુદુગળ પરિ સુતિની મિશ્રતાવાળા વિચારે અને પ્રવૃત્તિ હોવાથી કમની સંપૂર્ણ નિર્જરા ન થતાં પુણ્યની વિશેષતા થાય છે. એ પુણ્યનાં ફળ ભેગવવાને માટે ધ્યાનની જેવી જેવી અધિકતા હોય તેવા તેવા ઊંચા સ્વર્ગમાં જીવને નિવાસ થાય છે. સ્વર્ગ (દેવલોકમાં) ઉત્પન્ન થવાને ઠેકાણે એક શય્યા (પલંગ) હોય છે અને એ પલંગ પર એક દેવદુષ્ય નામે વસ્ત્ર ઢાંકેલું જ હોય છે. અહીંથી શરીર છેડીને ધર્મ યાનીને જીવ તે શય્યામાં જઈ ઉત્પન્ન થાય છે. અને એક મુહૂર્ત પછી પૂરેપૂરી પ્રજા બાંધી એ વસ્ત્રને ઓઢી શરીરને ઢાંકી બેઠે થાય છે. તેજ વખતે તેની સેવામાં હાજર રહેલાં દેવ દેવીઓ ૪ અત્યંત હર્ષ અને ઉત્સાહની સાથે હાથ જોડી ઘણીજ નમ્રતાથી પૂછે છે કે, “આપે શું કરણું કરી કે જેથી અમારા સ્વામી થયા?” ત્યારે તે જીવ અવધિ જ્ઞાનથી પૂર્વભવની સ્થિતિ જાણું અને દેવકની રિદ્ધિ સિદ્ધિથી ચકિત થઈ પોતાનાં પૂર્વભવનાં સંબંધીઓને ચેતાવવા તૈયાર થાય છે. તે વખતે બધાં દેવ દેવીઓ કહે છે કે હે નાથ, એક મુર્ત માત્ર અમારું નાટક જોઈ પછી આપની ઈચ્છામાં આવે તે કરે.” તરતજ તેઓ સામાન્ય નાટક કરે છે જેમાં આ લેકનાં બે હજાર વર્ષ વીતી જાય છે તેટલા વખતમાં તે તે જીવનાં સંબંધીઓ તે મરી જાય છે પણ તેની કેટલીક પેઢીઓ પણ અહીં વીતી જાય છે. વળી દેવેલેકમાં ગયેલે જીવ સુખમાં લુબ્ધ બનતાં પૂર્વભવને સ્થળે જવાનું ભૂલી પણ જાય છે. બીજા દેવલેક ઉપરના બધા દેવે અહમેંદ્ર છે એટલે સર્વે સરખા છે—કે ઈ મેટા નાના નથી. જેથી ત્યાં નાટક ચટક કરનારા ૪ બીજા દેવલોક પછીના દેવળેક ઉપર દેવીઓ નથી. * દેવતાને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy