SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ બધા વિચાર કરતાં શરીરને તારણ-શરણ માનવું મિથ્યા છે. જો તું તારા મિત્ર પરિવારને શરણદાતા માનતે હેતે એ તારી ભૂલ છે. મેહરહિત બુદ્ધિથી જોઈશ તે તરત જણાશે કે જ્યાં લગી તું પૈસા પેદા કરવામાં કુશળ હેઈને બધાંની ઈચ્છા પ્રમાણે ચાલીશ ત્યાં લગી માતાપિતા કહેશે કે, આ માટે રત્ન જે પુત્ર છે, ભાઈ કહેશે કે મારી બાંય છે, બહેન કહેશે કે, મારે હીરલે ભાઈ છે, સ્ત્રી કહેશે કે, મારે ભરથાર પરમેશ્વર છે, એ પ્રમાણે સર્વે કુટુંબીઓ હાજર રહી તને છ, જ, કરવા માંડશે. પણ તું જે મૂર્ણ નિરૂઘમી તથા કમાણ વગરને હઈશ તે માતાપિતા કહેશે કે આ દીકરાને બદલે ગર્ભમાંથી પત્થર આવ્યા હતા તે ઘરને પાયે ચણવામાં કામ આવત! ભાઈ કહેશે કે મારે વેરી , બહેન કહેશે કે, કેને ભાઈ ને તેનું કાંઈ, બાયડી કહેશે કે તે મારે ગુલામ છે, મેં પૈસા ખરચી વેચાતે લીધે છે, એ પ્રમાણે સર્વે સ્વજને તરફથી અપમાન અને દુઃખને વરસાદ વરસશે. જુઓ, સ્વાર્થમાં ડૂબેલી માતાએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને મારવાને ઉપાય કર્યો, કનકરથ રાજાએ જન્મતાંજ પુત્રને માર્યા. ભરત અને બાહબલ બને ભાઈ પરસ્પર લડ્યા, કેણિક કુંવરે પિતાના પિતા શ્રેણિકને પાંજરામાં પૂરી કબજે કર્યો, દુર્યોધને તમામ કુટુંબને સંહાર કર્યો, અને સૂરતા રાણએ પિતાના હાલા પતિ પરદેશી રાજાને પ્રાણ લીધે, એવા એવા ઘણા પ્રાચીન દાખલાઓ છે. વર્તમાનકાળમાં પણ એવા એવા હજારો દાખલા બની રહ્યા છે. એવા મતલબીઆ સ્વજન, મિત્ર કદી પણ આશ્રયદાતા થઈ શકે નહિ. જેને તું પ્રાણથી પણ અધિક પ્યારાં માની રહ્યું છે અને જેને માટે તું ચિંતામણું રૂપ મનુષ્ય જન્મ ગુમાવી બેઠેછું, તે શરીર, ધન, કુટુંબ વગેરે તારણ-શરણે રૂપ ન થાય તે પછી બીજાની તે વાત શી કરવી? જેઓ વિકરાળ કાળરૂપ વેતાળની
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy