SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અને પસ્તાશે તે પણ કઈપણ નહિ થવાનું, એવું જાણી છે હિતાર્થીએ ! श्वाकार्य मद्य कुर्वीत, पूर्वाहे चापरातिकम् ॥ न हि प्रतीक्षते मृत्युः, कृतमस्य न वा कृतम् ॥. અર્થ–ધર્મનાં કામે કાલનાં આજ અને આજનાં હમણાં કરવાં હોય તે કરી જ લે, કારણ કે કાળ (મૃત્યુ) જરાપણ વિચાર કરતું નથી કે આનું કામ અધુરું છે ! જે બાકી આયુષ્ય રહેલ છે તેને ફેગટ ગુમાવે નહિ. આ ચિંતામણી રત્ન જેવી ઘડીએ કુકર્મમાં ન ગુમાવે ! આ ક્ષણિક સંસારની ક્ષણિક સ્થિતિમાં જે જે ક્ષણ જાય છે તેમાં સુધારા કર હોય તે કરી લઈ દરેક ક્ષણને લેખે લગાડે ! તમે જે શરીરને નિત્ય માનતા હો તે શરીર નિત્ય છેજ નહિ. પક્ષ અને પ્રત્યક્ષ રીતે જણાય છે કે શરીરના સ્વભાવ, રૂપ, વર્ણ આદિ તમામ ગુણેમાં ફેરફાર થતા જ જાય છે. જુઓ, પ્રથમ જીવ, મનુષ્યના પર્યાય રૂપે, માતાના ગર્ભમાં આવી ઉત્પન્ન થાય છે ત્યારે માના રૂધિર અને પિતાને શુકને આહાર કરી ચેખાના ધણ જેવું શરીર બાંધે છે. કાળસ્વભાવથી ફેર પડતાં પડતાં એ પુગળમાં કઠણપણું પ્રાપ્ત થતાં થતાં, નાકની લીટ, બર, કેરી જેવું બની, અંગે પાંગનાં અંકુર ફૂટી ઇન્દ્રિઓનાં છિદ્ર પડી, વાળ વગેરે થવા માંડતાં, સંપૂર્ણ શરીરના અવય પ્રાપ્ત * जा जा वचइ रयणी, ण सा पडिणियत्तइ । __ अहम कुणमाणस्स, अफला जंति राइओ॥ ઉત્તરા અધ્ય૧૪ ગાથા ૨૪. અર્થ–જે જે દિવસ રાત્રિ જાય છે તે પાછા આવતાં નથી. અધમિનાં રાતદિન નિષ્ફળ જાય છે, અને (તેની આગળની ર૭મી ગાથામાં કહ્યું છે તે પ્રમાણે) ધર્મિનાં રાતદિન સફળ જાય છે. -
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy