SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ દળીઆ આત્માના અસંખ્યાત પ્રદેશની સાથે મહેતાબ (રંગદાર બપેરી) ના પ્રકાશની માફક મળીને રહેલ છે. ઘણા સંસારી જીને વસ્તુના ગુણનું જ્ઞાન બિલકુલ ન હોવાથી અને પર્યાયનું બદલવું પ્રત્યક્ષ જણાવાથી પર્યાયે ઉપરજ નિત્યાનિત્યની બુદ્ધિ લાગુ પાડી મમત્વભાવ આણે રાગદ્વેષને પામે છે. એવાની બુદ્ધિને સ્થિર કરવા સારૂ આંહી સ્પષ્ટપણે વિચાર પ્રગટ કરે છે. મોહ નિદ્રાથી ફસાયેલા જીવોને ઘડીઆળ કટ, કટ, કરી ચેતાવે છે કે તમે એક વાગ્યે, બે વાગ્યા, એમ શું કહે છે? જેમ કાપતાં કાપતાં વસ્તુ ઓછી થાય છે, તેમ ઘડીઆળમાં પણ ઘડી ઘડી ઘટીને તમામ વસ્તુનું આયુષ્ય ઓછું થાય છે, અને એમ સર્વ આયુષ્યને ક્ષય થતાં વસ્તુને નાશ થઈ જાય છે. અર્થાત્ પ્રથમને રૂપે જે પરમાણુઓ હતાં તે વિખરી જઈ અલગ અલગ સૂમરૂપે બની રૂપાંતરને પામી બીજું રૂપ અને બીજો સ્વભાવ ધારણ કરે છે. આ અવસ્થા જોઈ જી પતે વિભાવ પરિણામને પ્રાપ્ત થાય છે અને કહેવા માંડે છે કે હાય! મારું ફલાણું નાશ પામ્યું !! આ મારું નથી !હાય હાય ! આ શું થઈ ગયું !! ત્યારે જ્ઞાની લેક એવા જીવને ચેતાવે છે કે હે ચૈતન્ય! આ જગતની. દશા જોઈ ચેતે ચેતે !! જેવી રીતે તમારી ગયા કાળની તમામ ઘડીઓ ગઈ, તમારા શરીર અને સંપતિએ પણ રૂપાંતર કર્યું, રખ્ય ચીજને અરમ્ય અને અરણ્ય અને રમ્ય બનાવી, તે પ્રમાણે હવે બાકી રહેલી ઘડીઓ પૂર્ણ થતાં ક્ષણ માત્રમાં આ શરીર અને આ સંપત્તિને સંપૂર્ણ ક્ષય થઈ જશે. પછી તમે કરોડો ઉપાય કરી ગઈ ઘડીને લાવશે તે તે નહિજ આવવાની જ : લાલ રંગના મહેતાબને અગ્નિથી સળગાવીએ તે તેનો પ્રકાશ અરૂપી આકાશને લાલ રંગને બનાવી દે છે. એવી રીતે આપી આત્માની સાથે પુદગળનો સંબંધ થવાથી તેવા ગુણરૂપે પરિણામ પામે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy