SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારથી જીવ અને પુદગળ એ બેજ દ્રવ્ય પરિણમી છે. રાગદ્વેષ યુકત જે જીવ છે તેને પુગળની સાથે પરિણમન પામવાને સ્વભાવ છે તે અશુદ્ધ પરિણતિથી નીપજે છે. ધર્મ, અધમ આકાશ કે અને કાળ એ ચારેને પરિણમન સ્વભાવ પિતાનાજ ગુણમાં લેવાથી શુદ્ધ પરિણમન કહેવાય છે, પણ જીવનું પરિણમન પુદુગળના સંગથી થાય છે, તે અશુદ્ધ પરિણમન કહેવાય છે. સંસારી જીવ અનાદિથી અશુદ્ધ પરિણતિમાંજ પરિણમી સમયે સમયે સાત આઠ કર્મોની વર્ગણ ગ્રહણ કરિ અશુદ્ધ બને છે. પુગી દ્રવ્યના બે પરમાણુ ભેગા થવાથી દ્રયક, ત્રણ પરમાણ ભેગા થવાથી ત્રય-.. ક, એમ સંખ્યા પરમાણુઓ મળવાથી સંખ્યાણક, અસંખ્યાત પરમાણુઓ મળવાથી અસંગાણુ, અને અનંતા પરમાણુ મળવાથી અનંતાક કહેવાય છે. આવડા સ્કંધને પણ જીવ ગ્રડણ કરી શકતું નથી. જ્યારે અભવ્ય જીવથી અનંતગુણ અધિક પરમાશુઓ ભેગાં થાય છે ત્યારે દારિક શરીરને ગ્રહણ કરવા લાયક સ્કંધ થાય છે, એનાથી અનંતગણ અધિક પુગળને સ્કંધ થાય તે તે વૈકય શરીરથી ગ્રહણ કરવા યેગ્ય થાય છે, એનાથી અનંતગુણ અધિક પુગળને સકંધ બને તે આહારિક શરીરથી ગ્રહણ કરવા ગ્ય થાય છે, એનાથી અનંતગણ અધિક તૈજસનાં, તેનાથી ભાષાનાં, ભાષાથી શ્વાસનાં, શ્વાસથી મને વગણના અને મનથી અનંતગુણ અધિકપુદ્ગળ કર્મવર્ગણાથી ગ્રહણ થાય છે. આ આઠ વર્ગણામાંથી દારિક, વૈકેય, આહારિક, અને તેજસ . એ ચાર વગણ બાદર હોય છે. એ બાદર વગણમાં ૫. વર્ણ ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ એમ ૨૦ બોલ. મળે છે. બાકીની ચાર વગણને ભાષા, શ્વાસ, મન અને કર્મ છે તે સૂમ છે. તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ અને ૪ સ્પર્શ એમ ૧૬ બેલ મળે છે. એક પરમાણુમાં ૧ વર્ણ, ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ એમ ૫ ગુણ હોય છે. એ પ્રમાણે ૮ વર્ગણાનાં *
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy