SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. વધતાં, ત્રણ લેસ્થારૂપી લાલ, પીળાં અને ધૂળાં નિશાન ફરકાવતાં ગુણસ્થાનરેહણ રણગણમાં આવી ખડું થયું. બંને માલીકને હુકમ થયે કે તરતજ સંગ્રામ શરૂ થયે. મેહની તરફથી મિથ્યાત્વ મંત્રીશ્વર પચીશ ઉમરાવ અને અનંત સુભટે સાથે ચિતન્યની સામે આવીને કહેવા લાગ્યું કે કેમ ચેતન્ય, ત્રિલેકવ્યાપી મારું પરાક્રમ તું ભૂલી ગયે કે શું? મેં તારી અનંત વખત ખુવારી કરી તે પણ બેશરમ થઈ લડવાને તૈયાર થયું છે. જે હમણુંજ એક ક્ષણમાં તને તીવ્ર બાણથી ભૂમિ પર નાંખી પાતાળમાં (નરકમાં પહોંચાડું છું અને કુદેવ, કુગુરૂ, કુધર્મ, કુશાસ્ત્ર વગેરે મારા સેવકને હાથે ફજેતી કરાવું છું. એ બકબકાટ કરતે મિથ્યાત્વ મંત્રીશ્વર પિતાનું બાણ ખેંચી ઉભે. તે વખતે ચૈતન્ય મહારાજ તરફ નજર કરી, વિવેક મંત્રીશ્વર બલ્ય, હે સ્વામી, આ મેહ નૃપતિને અતિ માનીને પ્રધાન મિથ્યાત્વ છે. આપણા સમ્યકત્વરૂપી પ્રધાનની દ્રષ્ટિ માત્રથી જ એ મરી જશે. એના મરવાથી મહરાજનું આખું સૈન્ય ઠંડુગાર થઈ જશે અને આપણે શ્રદ્ધા નગરીને નિર્ભય કરીશું. અટિલું સાંભળતાં સમ્યકત્વ મંત્રીશ્વર પાંચ સમકિત રૂપી મહા સુભટ તથા અન્ય લશ્કર સાથે મિથ્યાત્વની સામે થયે. તત્વાતત્વ વિચારરૂપી બાણ છોડતાં જ મિથ્યાત્વને પરિવાર સાથે નાશ થઈ ગયે. ચૈતન્યના સૈન્યમાં જયનાં નગારાં વાગવા માંડયા અને મેહરાજા અતિ બળવાન મંત્રીના વિયોગથી અત્યંત દિલગીર થયે. એ વખતે અવતરાય આગળ આવી મેહ મહારાજને કહેવા લાગે, સ્વામી, આપ જરા પણ ફિકર ન કરે, હમણુંજ હું પ્રધાનને બદલે લઉં છું. બિચારે ચૈતન્ય મારી પાસે કેણ ગણતરીમાં છે? એવું કહીં અવતરાયે બાર ઉમરા સાથે ચૈતન્યની સામે આવી કહ્યું કે અરે ચૈતન્ય, આવા તારા ઢંગને મેં વારંવાર ઉડાડી દીધા તે પણ તે સામે થતાં શરમાતે નથી! પણ હવે આવી જા, ને જે મજા !
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy