SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણા ન કરવી. એવા શાસ્ત્રપાઠ ઉપલબ્ધ છે કે પ્રતિમાજીની શતાબ્દી પણ થઈ ગઈ હોય અને તે વ્યંગ હોય તો ય તે શાસ્ત્રાધારે પૂજનીય છે. મૂર્તિના અંગો ખંડિત થઈ ગયા હોય તો જ તેનું વિસર્જન કરવું. વિશિષ્ટ ઐતિહાસિક મૂર્તિ અંગે તો આમાં પણ અપવાદ સમજવો. ઠરાવ નં.૫ | * હાઈવે જેવા સ્થાને નિર્મિત થતાં તીર્થો અંગે કેટલેક અંશે લાભ જણાતો હોવા છતાં સરવાળે તેમાં ઘણા અનર્થોની સંભાવના છે. માટે જે તીર્થો હાલ બની રહ્યાં છે તે બાદ કરીને હવેથી કોઈએ હાઈવે જેવા સ્થાનો પર તીર્થનિર્માણ કરવા-કરાવવાં નહિ તેમ આ શ્રમણ-સંમેલન આદેશ ફરમાવે છે. • ઠરાવ નં૬ - શ્રમણ-શ્રમણીવૃંદની વિહારયાત્રા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી વિશેષ થાય એ ઈચ્છનીય છે. એનાથી શ્રમણ-શ્રમણી અને ગૃહસ્થ ઉભયપક્ષે ઘણા લાભ થવા ઉપરાંત અકસ્માતુનાં નુકસાન ઘણા અંશે અટકી શકશે. આમ છતાં યુગસાપેક્ષ કેટલીક અનિવાર્યતાવશ હાઈવે જેવા માર્ગો પર વિહારધામ નિર્માણ જરૂરી રહે તો ય તે, (૧) બન્ને તરફ ઓછામાં ઓછું આઠેક કિ.મી.નું અંતર હોય (૨) જિનમંદિર હોય તો માત્ર જરૂર પૂરતું નાનકડું જ હોય અને (૩) શ્રમણધર્મની મર્યાદા સચવાય તેથી અધિક કોઈ વિશેષતા ન હોય તે રીતનું જ હોવું જોઈએ. • ઠરાવ નં.૭ | પરમતારક પરમાત્માની ભક્તિ ઉત્તમ દ્રવ્યોથી કરવી જોઈએ. પરંતુ હાલમાં ક્યાંય કયાંક રૂ, ખાદ્ય પદાર્થો, પ્લાસ્ટીક આદિથી પ્રભુની આંગી થતી જોવાય છે. આ ચીજો ગુણવત્તાની વૃષ્ટિએ ન્યૂન હોવાથી પ્રભુભક્તિમાં તેનો ઉપયોગ ન કરવો. આ ઉપરાંત ધોતી-કોટિ સાફો-સાફાવાળો મુગટ વગેરેથી પ્રભુનો દેખાવ લૌકિક સ્તરનો બની જતો હોવાથી તે પદ્ધતિની આંગી પણ બંધ કરવી. ઠરાવ નં.૮ જિનપડિમા જિન સારિખી વચનાનુસાર પ્રભુપ્રતિમાને પણ પ્રભુસદ્ગશ ગણીને મૂર્તિની ભક્તિમાં ખૂબ કાળજી રખાવી જોઈએ. વાળાકૂંચીનો ઉપયોગ જરૂરી બને તેમ હોય તો ય તે એવા વિવેકપૂર્વક કરવો જેથી શુદ્ધિ થાય અને આશાતના ન થાય. ૧૪ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy