SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ નં.૯ “ક્ષ-પશુ-સિંહારિ-વાહનાણીને વિપ્રઃ વીતરાગ સ્તોત્રના આ અને અન્યાન્ય શાસ્ત્રવચનાનુસાર શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિમા પશુ-પંખી-લાંછન-ગ્રહ વગેરે ઉપર પ્રતિષ્ઠિત કરવાની હોતી નથી. આમ છતાં કેટલાક સમયથી પશુ-પંખી આદિ અને ગ્રહલાંછન વગેરે ઉપર પ્રભુપ્રતિમા બનતી જોવાય છે. આનાથી વીતરાગપ્રભુની મહત્તામાં ખામી દેખાવા ઉપરાંત ભાવિ અનર્થો સર્જાય તેમ હોવાથી હવે પછી આવી પ્રતિમાઓ કોઈએ બનાવવી નહિ કે પ્રતિષ્ઠિત કરવી નહિ. ઠરાવ નં.૧૦ . શિલ્પશાસ્ત્રાનુસારી પ્રાચીન પદ્ધતિના જિનમંદિરોનાં નિર્માણની આપણી જે પ્રચલિત પરંપરા છે તે મુજબના જ જિનમંદિરોનાં નિર્માણ કરવા. હાલમાં ક્યાંક ક્યાંક માત્ર બાહ્ય આકર્ષણનું કેન્દ્રમાં રાખીને વિવિધ આકારના શિલ્પશાસ્ત્રવિહિત ન હોય તેવાં ગૃહમંદિરભિન્ન જિનમંદિરોનાં નિર્માણ થઈ રહ્યા છે. આ પદ્ધતિના જિનાલયોનાં નિર્માણની પ્રેરણા કરવી નહિ અને તેમાં સહાયક પણ ન થવું. • ઠરાવ નં.૧૧ - પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની કેશર અને ચંદન, ઉભયથી થતી પૂજા શાસ્ત્રવિહિત છે. પરમાત્માની પ્રતિમાને નુકસાન ન થાય તેવા વિવેકપૂર્વક પૂજાભક્તિ કરવી. • ઠરાવ નં.૧૨. - અક્ષયતૃતીયાંદિને ઈશુરસથી તથા અન્ય વિશેષ વિધાનોમાં ધૃત-દધિ (ઘી-દહીંદૂધ) આદિથી અભિષેકપ્રવૃત્તિ જોવાય છે. આવા દ્રવ્યો અભિષેકજલમાં ખપપૂરતાં જ ભેળવીને વિધાન કરવું. જેથી વિધિ ઉપરાંત જયણા પણ જળવાય. . | ઠરાવ નં.૧૩ . ક્યાંક ક્યાંક પ્રસંગવિશેષે ગુરુભગવંતના પ્રવચન માટે બેસવા સમવસરણાદિ રચના થતી જોવાય છે. આવી પ્રવૃત્તિ શ્રી તીર્થકરપ્રભુની ગરિમાને હાનિરૂપ બને છે તેમજ ત્યાગમય શ્રમણધર્મ અંગે પણ અનુરૂપ નથી બનતી. માટે ગુરુભગવંતોએ આવી રચનાઓનો ઉપયોગ ન કરવો. આ ઉપરાંત ક્યાંક ક્યાંક જૈન શ્રમણોમાં ગુરુપૂર્ણિમા પર્વોત્સવ શરૂ થયો છે. આવા પ્રકારની પ્રવૃત્તિ જૈનશાસનમાન્ય નથી. માટે શ્રમણોએ તેનાથી દૂર રહેવું. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૧૫
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy