SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ -1 ઠરાવ નં.૧ I જૈન વસતિ રહિત ગામોના શ્રી જિનમંદિરોમાં પ્રભુપ્રતિમા વિપુલ પ્રમાણમાં હોય તો, જિનાલયોનો કબજો જળવાઈ રહે તે પૂરતા અતિઅલ્પ પ્રતિમાજી ત્યાં રાખી બાકીના સર્વ પ્રભુજી જ્યાં પૂજા કરનાર વર્ગ વધુ હોય તેવા સ્થાનોમાં વિરાજિત કરવા. તે માટે શ્રમણસંમેલનમાં ઉપસ્થિત સર્વ સમુદાયોના બબ્બે શ્રાવકોની તથા પ્રવરસમિતિ નિયુક્ત આ વિષયના નિષ્ણાત પાંચ શ્રાવકોની નિયુક્તિ ધરાવતી કેન્દ્રીય વ્યવસ્થા સમિતિ બનાવવી. આ સમિતિ જ્યાં જ્યાંથી પ્રભુજી મળી શક્તા હોય, તે તે જિનાલયોનો સર્વે કરી લીસ્ટ બનાવે. પૂજ્ય ગુરુ ભગવંતોએ પણ પોતાનો પ્રભાવ ધરાવતા તેવા સ્થાનોને પ્રતિમાજી આપવા ભારપૂર્વક પ્રેરણા કરવી, જે સંઘોને આવા પ્રતિમાજી મળે તેમણે તે પ્રભુજી ક્યા સ્થાનના છે તેનો પોતાના જિનાલયે ઉલ્લેખ કરવો. ઉપરાંત તે ગામમાં સાધારણ ખાતે લાભ લેવો. જે સ્થાનેથી પ્રભુજી અપાયા હોય તેમણે પોતાના પ્રભુજી હાલ ક્યાં છે તેનો પણ ઉલ્લેખ કરવો. પ્રભુજી અપાયા બાદ ખાલી પડેલ સ્થાને તે પ્રભુનું ચિત્ર આદિ કરાવી શકાય. -૧ ઠરાવ નં.૨ I શહેર કે ગામડાના જે જિનાલયોમાંધાતુપ્રતિમા-પાષાણપ્રતિમાઓ વિપુલ સંખ્યામાં હોય અનેપૂજાદિની વ્યવસ્થા મુશ્કેલ હોય તે સ્થાનોના એકવિકલ્પરૂપેપ્રસિદ્ધ તીર્થોકેશહેરવિસ્તારમાં તેવા પ્રતિમાઓના ભંડારરૂપ વ્યવસ્થા કરવી. બે-ત્રણ મજલાનું સુવ્યવસ્થિત મકાન હોય, ત્યાં શાસ્ત્રીય મર્યાદા મુજબ તે તે વિભાગોમાં તે તે સંઘોના ઉલ્લેખપૂર્વક પ્રતિમાજી હોય અને આવશ્યક્તાનુસાર પૂજારીઓ રાખવા દ્વારા તે પ્રભુપ્રતિમાઓની પૂજાભક્તિ થતી હોય. જ્યાંથી તે પ્રતિમાજીઓ લવાયા હોય તે તે સંઘોની સંમતિપૂર્વક, જરૂરિયાતવાળા સંઘોમાં ‘વહેલો તે પહેલો' ના ધોરણપૂર્વક તે પ્રતિમાજીઓ અપાય. આ કાર્ય માટે પ્રવર સમિતિ દ્વારા એક શ્રાવકસમિતિ રચાશે. -1 ઠરાવ નં.૩ I પ્રાચીન પંડિત જિનપ્રતિમાઓ કે જૈન શિલ્પોનું જૈન સંગ્રહાલય અલગ-અલગ સ્થળોએ કરવું. આ માટે એક શ્રાવક સમિતિ પ્રવરસમિતિ દ્વારા રચવી. -1 ઠરાવ નં.૪ - પંચધાતુ આદિના પ્રતિમાજીના નાસિકા-કર્ણ આદિ ઉપાંગોને ઘસારો લાગ્યો હોય તો ય તે પ્રતિમાજીનું પૂજા વિધાન યોગ્ય જ છે. નાના નિમિત્તે પ્રતિમાવિસર્જનની ....વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૧૩
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy