SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ગીતા અને કુરાન ઈસ્લામ પહેલાં યહૂદીઓ પિતાના ધર્મગ્રંથને “કરાહ”ને નામે ઓળખતા હતા. યહૂદીઓની ભાષા ઈબરાની તથા અરબની અરબી એકમેક સાથે મળતી આવે છે. “કુરાન” અને “કરાહને અર્થ પણ સમાન છે. ખુદ કુરાનમાં પિતાની પહેલાંના ધર્મગ્રંથને “કુરાનનું નામ આપવામાં આવ્યું છે (૧૫-૮૦,૯૧). મહંમદ સાહેબનાં બીજાં સર્વ ઉપદેશે, વાતે તથા દંતકથાઓ “હદીસ” કહેવાય છે. તે ઈશ્વરી સંદેશ મનાતા નથી. આ પ્રમાણે તેવીસ વર્ષોમાં કુરાનના જે જે ભાગો જુદે જુદે સમયે પ્રાપ્ત થતા ગયા તે તે મહંમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્ર, ચામડાના ટુકડા કે લાકડાની પટીઓ કે પથ્થરપાર્ટી પર ઉતારી લેવામાં આવતા હતા. કેઈક એ વાંચવા લઈ જતા, કેટલાકને તે કંઠસ્થ થઈ ગયા હતા. આ તાડપત્રે કે ચર્મપટ્ટીઓ વગેરે એક પિટીમાં જેમ તેમ ખડકી દેવાયાં હતાં. સંગ્રહ વધતે જ ગયે. એમાંના કેટલાક ભાગ મહંમદ સાહેબના સમયમાં જ એમની સૂચના મુજબ જુદી જુદી સૂરાઓ(અધ્યાય)માં સાંકળી લેવાયા હતા. કુરાનમાં કહેવાયું છે – “અલ્લાહ ચાહે તે આયતને રદ કરી દે છે અથવા લોકોના સ્મરણપટ ઉપરથી ભૂંસી નાખે છે, અને એને બદલે બીજી અથવા તેથી વધારે સુંદર આયત મૂકી દે છે, કારણ કે અલ્લાહ સર્વશક્તિમાન છે.” (૨–૧૦૬) વળી એક ઠેકાણે કુરાનમાં કહેવાયું છે, “ અલ્લાહ એક
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy