SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ છે કે... એક વાર મોક્ષમાં ગયા પછી ફરીથી આ સંસારમાં પાછા અવાતું નથી. મોક્ષમાંથી પાછા આવી કોઈ સંસારમાં જન્મ લેતું નથી. માટે અવતારવાદની પ્રક્રિયા સ્વીકારવાનો કોઈ આધાર જ નથી. ૧૪ ભગવાન થયેલા કોઈ પણ તીર્થંકર ભગવંતોના પૂર્વ ભવોમાં ડોકિયું કરવાથી તેમને ભગવાન બનવા માટે શું શું કર્યું છે તે સ્પષ્ટ પ્રક્રિયાનો ખ્યાલ આવશે. આવી રીતે વીતેલા અનંત ભૂતકાળમાં ૨૪-૨૪ તીર્થંકરોની શ્રેણીમાં અનંત તીર્થંકર ભગવંતો થઈ ગયા છે. એ બધાએ ભગવાન બનવા માટે વીશસ્થાનક તપની આરાધનાના માર્ગનું જ આચરણ કર્યું હતું અને એ પ્રક્રિયાથી જ ભગવોન બન્યા હતાં. માટે અનંત આત્માઓએ અનંત કાળથી આચરણ કર્યું હોય તે પ્રક્રિયા શાશ્વત છે, ત્રિકાળ સ્થાયી છે. યાદ રાખજો અપરિવર્તન શીલ એ શાશ્વત પ્રક્રિયા ત્રણે કાળ બધા જીવો માટે સમાનરૂપે આચરણીય છે. બીજી બીજી પ્રક્રિયા બદલાતી નથી. એકની એક જ પ્રક્રિયા એ જ રાજમાર્ગ છે. અને એ પ્રક્રિયાનું નામ છે વીશસ્થાનક તપની આરાધના... હા... એટલો ફરક જરૂર છે કે આ ૨૦ પદોમાંથી કોઈ ૧ પદની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે, કોઈ ૨-૪ પદોની આરાધનાથી, અને કોઈ વીશે વીશ પદોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધે છે. પ્રથમ ચરમ જિનવર ભાસીયા, એ થાનક સઘલાં ફાસીયાં, મઝિમ બાવીશે જિનવરે, એક દોય ત્રણ સંઘલા ચરે.” નયસારનો જીવ ૨૫મા નંદન રાજર્ષિના ભવમાં વીશે વીશ પદોની આરાધના ૧૧, ૮૦, ૬૪૫ માસક્ષમણથી ઉત્કૃષ્ટપણે કરીને નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. વીશસ્થાનકના ૨૦ પદોમાંથી ઓછા કે વધારે પદોની આરાધનાનો સંભવ છે. પરંતુ તેમાં આધારભૂત-પ્રાણભૂત “સવિ જીવ કરું શાસન રસી”ની ભાવનામાં કચાશ નથી ચાલતી. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાની પ્રક્રિયા :- અરિહંત-સિદ્ધાદિ એવા આરાધનાના ૨૦ પદો છે. આ ૨૦ પદોની આરાધના કરતા કરતા તે તે પદો સાથે એવી તન્મયતા આવી જાય કે...સાધક એ પદોને આત્મસાત કરી લે છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy