SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પલ્લવ ૪૯ આનંદ કરવા લાગ્યો. પૂર્વે જેની સાથે સંબંધ હતા તે બધા મિત્રો મળવા આવ્યા. ધનથી વિહીન મનુષ્યોને મિત્રો તેમજ પુત્રો, સ્ત્રી અને બંધુઓ પણ ત્યજી દે છે અને તે જ મનુષ્ય પાછો - દ્રવ્યવાન્ થતા તે જ મિત્રો, સ્વજનો વગેરે આવીને મળે છે. ખરેખર ધન જ આ લોકમાં મનુષ્યનો પરમ બંધુ છે.” હવે યશોધવલરાજા કેટલાક વર્ષો વીત્યા બાદ વૈરાગ્યરસરૂપી અમૃતનું પાન કરવા સન્ન થયા અને ચંદ્રયશા કુમારને રાજ્ય પર સ્થાપન કરીને તે સુબુદ્ધિમાને શ્રીસુમિત્રસૂરિ મ. પાસે ચારિત્ર અંગીકાર કર્યું. શુદ્ધ સિદ્ધાંતનો અભ્યાસ કરી ઘણા વર્ષો પર્યત ખડ્ઝની ધારા સમાન ઉજવળ ચારિત્ર પાળીને તે રાજર્ષિ મોક્ષે ગયા. - ચંદ્રયશાકુમાર રાજગાદી પર બેઠા ત્યારે લોકોએ તેનું ચંદ્રધવલ એવું નવું નામ સ્થાપિત કર્યું. તેને મળેલા સુવર્ણપુરુષનું યુક્તિપૂર્વક પૂજન કરવાથી પ્રતિદિન તેના છેદેલા હસ્તપાદ વગેરે નવા પ્રાપ્ત થવા લાગ્યા અને તે સુવર્ણપુરુષવડે તેનો રાજભંડાર અક્ષય થયો. તેમજ તે સુવર્ણવડે તે પુણ્યશાળીએ સર્વ પૃથ્વીને ઋણમુક્ત કરીને પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો. એક વખત ચંદ્રધવલરાજાને ધર્મદત્ત યાદ આવ્યો. તેણે મંત્રી દ્વારા ધર્મદત્તને રાજસભામાં બોલાવી તેનું ઘણું સન્માન કર્યું. પછી તેને કહ્યું કે હે બંધ ! તારા આપેલા સુવર્ણપુરુષવડે મેં પૃથ્વીને અનૃણી કરીને અપૂર્વ કીર્તિ મેળવી છે, તેથી તું ખરેખરો મારો બંધ છે.” પછી રાજાએ તેને સર્વવ્યવહારીઓમાં મુખ્યપદ આપીને નગરશેઠ બનાવ્યો. ધર્મદા રાજા પાસેથી ઘણું માનમેળવીને સુખાસનમાં બેસી પોતાને ઘરે આવ્યો. હવે તે દરરોજ સુખાસનમાં બેસીને રાજસભામાં આવવા લાગ્યો. ચંદ્રધવલ રાજા અને ધર્મદત્ત બન્નેએ મળીને અનેક પ્રકારના ધર્મકાર્યો કર્યા અને નિરંતર સાથે બેસીને સ્નેહવાર્તા તેમજ ધર્મચર્ચા કરવા લાગ્યા. એક દિવસ રાજાએ ધર્મદાને પૂછ્યું કે “તમારી પાસે અત્યારે કેટલું ધન છે.” ઉત્તર આપતાં ધર્મદત્ત બોલ્યો કે “હે મિત્ર ! તે ધનસંબંધી એક આશ્ચર્ય કહું છું તે સાંભળ. તે સમયે સુવર્ણપરુષમાંથી લીધેલા સુવર્ણને વેચતાં મને સોળ કરોડ ધન પ્રાપ્ત થયું હતું. ત્યારપછી જળમાર્ગે ને સ્થળમાર્ગે અનેક અનેક વ્યવસાયો કર્યા પછી પાછો હિસાબ કરતા સોળ કરોડ જ રહ્યા. કોઈપણ પ્રકારનો વ્યવસાય કરતાં તેથી વધારે દ્રવ્ય થતું નથી. તેથી હવે હું વિશેષ ધનનો વ્યય પણ કરી શકતો નથી. તે સ્વામી ! આ બાબતમાં કોઈ જ્ઞાની ગુરુભગવંત મળે તો તેમને પૂછીએ કે આનું કારણ શું છે?” તે સાંભળી ચંદ્રધવલે કહ્યું કે- હે મિત્ર ! તું લક્ષ્મીને સાચવવા આટલો બધો લોભ કેમ કરે છે? લક્ષ્મી લોભથી નથી મળતી પણ ભાગ્યથી જ મળે છે. માટે ભાગ્યને જ વંદન કરવા યોગ્ય છે.” તે સંબંધી એક કથા કહું છું તે સાંભળ લક્ષ્મી ભાગ્યને આધીન * એક વખત ભાગ્ય અને લક્ષ્મી વચ્ચે પરસ્પર વાદ થયો. બન્ને પોતપોતાની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે જયારે વિવાદ કરતાં તે બન્ને અટક્યા નહીં ત્યારે ઇંદ્રાદિ દેવોએ તે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy