SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ЧО શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય બન્નેને કહ્યું કે ‘તમે બન્ને આ રીતે વિવાદ કરવા કરતા પોતાની શક્તિ બતાવી તમારા ગુણોની ખાત્રી કરાવો.” તેથી લક્ષ્મીએ એક દુર્ભાગી, દીન, કૃશ અને સાધારણ સ્થિતિના મનુષ્યને બોલાવીને એક સોનાની ઇંટ આપીને કહ્યું કે ‘તું ઘરે જા અને આ ઈંટ વેચીને તેમાંથી ઉપજતા દ્રવ્યદ્વારા વસ્ત્રાભરણ લેજે અને તે વસ્ત્રાદિથી વિભૂષિત થઈ કાલે અહીં આવીને મારા ગુણની આ ભાગ્યને ઓળખાણ કરાવજે. લક્ષ્મીની વાતનો સ્વીકાર કરીને તે દરિદ્રી પોતાને ઘરે આવ્યો અને લક્ષ્મીએ આપેલી ઈંટ સંતાડીને તે ક્યાંક બહાર ગયો. દરિદ્રીને ઈંટ સંતાડતા તેના પાડોશીએ જોયો. તેથી દરિદ્રી બહાર ગયો ત્યારે પાડોશીએ તે ઈંટ લઈ લીધી. દિરદ્રી પાછો ઘરે આવ્યો ત્યારે તેને તે ઈંટ મળી નહીં. તેથી બીજે દિવસે તે જ સ્થિતિમાં નગરની બહાર આવીને લક્ષ્મીને પોતાનું સ્વરૂપ બતાવ્યું. લક્ષ્મીએ કારણ પૂછતા દરિદ્રીએ બનેલી હકીકત જણાવી. તેથી લક્ષ્મીએ તેને ફરીથી એક મહામૂલ્યવાન રત્ન આપ્યું અને પૂર્વવત્ કરવાનું કહ્યું. દરિદ્રી તે રત્ન લઈને પોતાના ઘર તરફ વળ્યો. માર્ગમાં એક નદી આવી. તેથી નદીનાકિનારે રત્ન મૂકીને તે . દરિદ્રીએ નહાવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેટલામાં કોઈક મત્સ્ય કિનારે રહેલા તે રત્નને ગળી ગયો. તેથી દરિદ્રી પુનઃ ત્રીજે દિવસે પણ પોતાની મૂળ અવસ્થામાં જ લક્ષ્મી પાસે આવ્યો. તે જોઈને ભાગ્યે લક્ષ્મીને કહ્યું કે—‘તું તો એને લક્ષ્મીવાન્ કરી શકી નહીં, હવે મારો પ્રભાવ જો. કંઈપણ આપ્યા વિના માત્ર મારી મીઠી ષ્ટિથી જ તેને હું ધનીક બનાવીશ.” કહ્યું છે કે ‘ભાગ્ય સર્વત્ર ફળે છે. વિદ્યા કે ઉદ્યમ પણ ભાગ્ય વિના ફલતા નથી. જુઓ, શિવના કંઠમાં રહ્યા છતાં પણ વાસુકી નાગ તો પવન જ ખાતો રહ્યો.' પછી ભાગ્યે પોતાને હાથે પેલા દરિદ્રીના કપાળમાં ચાંદલો કરીને કહ્યું કે—‘મારું ભાગ્ય હવે જાગ્યું છે, એમ બોલતો બોલતો ઘરે જા.' તે ઘરે ગયો. ત્યાં દરિદ્રીનો સાળો અતિથિ તરીકે આવેલો હતો. હીન જાતિનો હોવાથી તે તેની માટે એક મત્સ્ય લઈ આવ્યો. તેને ફાડતાં તેમાં લક્ષ્મીએ આપેલું રત્ન નીકળ્યું. એટલે તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે—– ‘આ રત્ન તો મળ્યું, હવે આપણી સોનાની ઇંટ પણ મળવી જોઈએ.' આ પ્રમાણે તેઓ વાત કરતા હતા તે વાત પાડોશીએ સાંભળી અને તરત જ પોતે સંભાળી ન શકવાથી રિદ્રીની ઈંટ તેને પાછી લાવીને આપી ગયો. તેમજ તેને પગે પડી વારંવાર ક્ષમા માંગીને બોલ્યો કે—મારી ભૂલ થઈ હતી, પણ આ વાત તમે કોઈને કરશો નહીં. દરિદ્રીએ તે વાત કબૂલ કરીને તેને રજા આપી. તે ઈંટ અને રત્નવડે તે દરિદ્રી મોટો ધનાઢ્ય થયો અને સુશોભિત વસ્ત્રાલંકાર પણ ધારણ કર્યા. ભાગ્યની અનુકૂળતા થવાથી તેનું દારિદ્ર નાશ પામ્યું. એક વખત તે અશ્વારૂઢ થઈને કેટલાક સેવકજનો સહિત નગર બહાર લક્ષ્મી અને ભાગ્યની પાસે ગયો. પછી અશ્વથી ઉતરી ભાગ્યના પગમાં પડીને તેના ગુણનું વર્ણન કરતો અને બીજા દેવો પાસે લક્ષ્મીની નિંદા કરતો બોલ્યો કે—‘ભાગ્યના પ્રભાવથી જ રાજ્ય મળે છે અને ભાગ્યથી જ પ્રચૂર દ્રવ્ય મળે છે, તેથી ભાગ્યને જ શ્રેષ્ઠ માનવા યોગ્ય છે. તેના વિના લક્ષ્મી શું કરી શકે છે ? કાંઈ જ કરી શકે તેમ નથી.* ત્યારપછી ચંદ્રધવલ રાજાએ ધર્મદત્તને કહ્યું કે—‘હે મિત્ર ! હે ધર્મદત્ત ! માટે જ હું કહું છું કે ભાગ્ય છે ત્યાં સુધી લક્ષ્મીનો ક્ષય થવાનો નથી. માટે તું સારી રીતે દ્રવ્ય વાપર.' આ પ્રમાણે તેઓ બંને પરસ્પર પ્રીતિપૂર્વક વાતો કરતા હતા, આનંદથી રહેતા હતા અને સન્માર્ગે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy