SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણે વિચારીને રાજપુત્ર દઢ આસન વાળીને બેઠો. ત્રણ દિવસ થયા ત્યારે યક્ષિણીનું આસન કંપાયમાન થયું. તેણે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું કે “હે વત્સ ! આ સાહસ શા માટે કર્યું છે? હું તારા તપથી તુષ્ટમાન થઈ છું, માટે વરદાન માગ.” રાજકુમાર બોલ્યો કેહે માતા ! જો તુષ્ટમાન થયા છો તો આ ધર્મદત્તની સ્ત્રી આપો. “યક્ષિણીએ તરત જ તેને તે સ્ત્રી આપી. “ખરેખર સત્ત્વથી સર્વકાર્યસિદ્ધ થાય છે.” કુમારે ધર્મદત્તને બોલાવીને તેને તેની પ્રિયા સોંપી અને કહ્યું કે હે મિત્ર ! જો આ તારી જ પ્રિયા છે ને ?” પોતાની સ્ત્રીને દિવ્ય વસ્ત્રાલંકારોથી વિભૂષિત જોઈને ઘણો હર્ષિત થયેલો ધર્મદત્ત બોલ્યો કે– હે મિત્ર ! આ જ મારી પ્રિયા છે.” પછી રાજપુત્રે કહ્યું કે- ધર્મદત્ત ! આગળ ચાલ. હવે તારો સુવર્ણપુરુષ પણ જમીનમાંથી કાઢીને તને આપું.” પછી ત્યાંથી સ્મશાનમાં જઈને તે સુવર્ણપુરુષ જમીનમાંથી ખોદીને બહાર કાઢ્યો. તેને દેદિપ્યમાન જોઈને ધર્મદત્ત બહુ ખુશ થયો. રાજપુત્રે કહ્યું કે– ‘અગ્નિકુંડમાંથી કાઢીને મેં જ આ સુવર્ણપુરુષને જમીનમાં દાટ્યો હતો. તે તારો છે તો તું લે.” તે જોઈને ધર્મદત્ત વિચારવા લાગ્યો કે–“અહો ! આનું ઉપકારીપણું અને ઉદારતા કેવી શ્રેષ્ઠ છે ?' કેમકે– ઉપકારે ઉપકારડો, સહુએ કોઈ કરેઈ, વિણ ઉપકારે જે કરે, વિરલા જણણી જPઈ. લક્ષ્મી નય(નીતિ)ના પ્રણયવાળી હોય છે, ધૃતિ સત્ત્વના પ્રણયવાળી હોય છે અને કુલીનોની મતિ ધર્મના પ્રણયવાળી હોય છે. કોઈક જ પુત્ર કુળને ઉજ્જવળ કરે છે, બાકી કેટલાક પુત્ર તો કુળને કલંકિત કરનારા હોય છે. જુઓ ! કુમુદબંધુ ચંદ્ર આકાશને ઉજ્જવળ કરે છે ત્યારે વર્ષ આકાશને શ્યામ કરે છે.” ધર્મદતે આદરપૂર્વક કુમારને કહ્યું કે– કુમાર ! તમે મારા પરમ ઉપકારી છો, તેથી તમારી પાસે હું એક યાચના કરું છું, પણ તે વિચક્ષણ ! તે યાચના તમારે નિષ્ફળ ન કરવી.” કુમારે કહ્યું કે–કહો, માંગો.” ધર્મદત્તે કહ્યું કે- હે કુમાર ! મારા વચનથી આ સુવર્ણપુરુષ તમે ગ્રહણ કરો.' કુમારે કહ્યું કે– તે પુરુષ શા માટે મને આપો છો ? ધર્મદત્ત બોલ્યો કે “એ સુવર્ણપુરુષ અમારા વણિકના ઘરમાં રાખવો યોગ્ય નથી, તેથી હું તમને આપવા માંગુ છું. તેમજ આપે કરેલા ઉપકારનો કાંઈક પ્રત્યુપકાર કરવાની પણ મારી ઇચ્છા છે. આ પ્રમાણેના ધર્મદત્તના અત્યંત આગ્રહથી રાજપુત્રે તેનો સ્વીકાર કર્યો. પરંતુ તેને કહ્યું કે– તારે જેટલું સુવર્ણ જોઈએ તેટલું આમાંથી લઈ લે.' તેથી ધર્મદત્તે તે સુવર્ણપુરુષના બે હાથ અને બે પગ છેદીને લઈ લીધા. બાકીનો ભાગ લઈને રાજપુત્ર મહેલમાં આવ્યો. રાજપુત્રને આવેલો જોઈ તેના પિતાએ પૂછયું કે– હે વત્સ ! તેનો સુવર્ણપુરુષ મળ્યો? કુમારે કહ્યું કે– હા મળ્યો.” તેથી રાજા ખૂબ પ્રસન્ન થયા. આ તરફ ધર્મદત્ત સુવર્ણપુરુષમાંથી લીધેલા સોનાના વેચાણથી સોળ કોટી દ્રવ્ય મેળવ્યું. પછી ત્યાંથી કોઈક સ્થાને જઈને મોટો અર્થ જોડી તે અહીં ચંદ્રપુરમાં આવ્યો અને પોતાને ઘેર વધામણી મોકલી. તે સાંભળી તેની સ્ત્રી બહુ જ હર્ષિત થઈ. સર્વ સ્વજનો ભેગા થઈને ધર્મદત્તને સામે લેવા ગયા અને મોટા મહોત્સવપૂર્વક ધર્મદત્તને ઘરે લઈ આવ્યા. બે ભાર્યાઓ સહિત ધર્મદત્ત અનેક પ્રકારના સુખભોગ ભોગવતો
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy