SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત शिखरिणीवृत्त मणिः शाणोल्लोढः समरविजयी हेतिनिहतो मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः। कलाशेषश्चन्द्रः सुरतमृदिता बालवनिता तनिम्ना शोभन्ते गलितविभवाश्चार्थिषु जनाः ॥३५॥ સરાણે પાસા પાડેલે મણિ, ખડૂગ વગેરેથી ઘાયલ થયેલે પણ યુદ્ધમાં જય મેળવનાર લડવૈયા, મદ ઝરવાથી ક્ષીણ થયેલે હાથી, શરદ્દ કરતુમાં સૂકાયેલા કીનારાવાળી નદીઓ, બીજને કલાશેષ ચંદ્ર, કામક્રીડામાં ચુંબન વગેરેથી મર્દન થયેલી બાળા સ્ત્રી અને જેઓએ માગણ લોકોને પિતાને વિભવ આપી દીધું છે એવા મનુષ્ય કૃશ હોવા છતાં શેભે છે. તાત્પર્ય-માણસે અવશ્ય દાન કરવું જોઈએ.૩૫ અવસ્થાનાં પરિણામે - વસ્તુની હલકાઇનું અને મેટાઈનું કારણ અવસ્થા જ છે. બીજું કંઈ નથી. शिखरिणीवृत्त परिक्षीणः कश्चित्स्पृहयति यवानां प्रसृतये स पश्चात्संपूर्णः कलयति धरित्री तृणसमाम् । अतश्चानकान्त्याद्गुरुलघुतयाऽर्थेषु धनिनामवस्था वस्तूनि प्रथयति च सङ्कोचयति च ॥३६॥ દરિદ્રાવસ્થામાં હોય ત્યારે જે માણસ એક પિશ જવથી સંતુષ્ટ થાય છે, તે જ માણસ જ્યારે સંપત્તિવાન થાય છે ત્યારે પ્રથ્વીને પણ તૃણસમાન ગણે છે; એટલા માટે અવસ્થા જ વસ્તુને મહત્તા અને લઘુતા આપે છે– સંકેચમાં લાવે છે. પરંતુ ધન કંઇ લઘુતા કે મહત્તા આપતું નથી; કારણ કે, ધનવંતની હમેશાં એક જ સ્થિતિ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy