SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વૈિરાગ્યશતક ૩૩ इदानीमेते सम प्रतिदिवसमासत्रपतनात् गतास्तुल्यावस्थां सिकतिलनदीतीरतरुभिः॥४८॥ આપણે જેમનાથી ઉત્પન્ન થયા છીએ તે (માબાપ) તે ઘણે કાળ થયાં ચાલ્યાં ગયાં, જેમની સાથે ઉછરીને મેટા થયા (બંધુજન વગેરે) તે પણ સમૃતિ માત્ર થઈ ગયાં અને હાલ તે આપણે પણ નદીના રેતીવાળા કિનારા ઉપર ઉભેલાં તરુ જેવી પ્રતિદિન પાસે આવતી મરણદશાને પ્રાપ્ત થતા જઈએ છીએ. ૪૮ રાÇવિઝીતિવૃત્ત आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्धं गतं तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेषं व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते जीवे वारितरङ्गचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् ॥४९॥ મનુષ્યના આયુષ્યનું પરિમાણું સો વર્ષનું છે, તેમાંથી પચાસ વર્ષ તે રાત્રિમાં નિદ્રાથી જાય છે, તે પચાશમાંથી પણ પહેલાં સાડાબાર વર્ષ બચપણમાં જાય છે અને છેલ્લાં સાડાબાર વર્ષ ઘડપણમાં જાય છે. બાકી રહેલાં વચલા પચીસ વર્ષ કે જેમાં રોગ અને કુટુંબના વિયેગનું દુઃખ થાય છે, તે પચીશ વર્ષને મનુષ્ય ધનવાનની સેવા વગેરેથી ગુમાવે છે. માટે પ્રાણીઓને જળના તરંગ જેવા અત્યંત ચંચળ જીવિતમાં સુખ કયાંથી હોય? ૪૯ તાપર્ય-આ સંસારમાં સુખ નથી, પણ મનુષ્ય સુખ માની જ લે છે. જેમ કે असारे खलु संसारे सुखभ्रान्तिः शरीरिणाम् । लालापानमिवांगुष्ठे बालानां स्तन्यविभ्रमः ॥ - પિતાના અંગુઠાને ધાવતાં પિતાના જ મુખની લાળ મુખમાં આવે તેને, છોકરાં જેમ દૂધ ધારે છે, તેમ આ અસાર સંસારમાં દેહધારીએ દુઃખને ભ્રાંતિથી સુખ માની લે છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy