SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંતિની ગાથાના આધારે નિક્ષેપાની ચર્ચા પણ આમાં સારી રીતે જણાવવામાં આવી છે. ટીકાના પદાર્થોનું વાસ્તવિક કોટિનું જ્ઞાન મેળવવા માટે સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય (તર્કશાસ્ત્ર) વગેરે ગ્રંથનો સારો અભ્યાસ જરૂરી છે. એવા અભ્યાસ વિના શ્રાવકશ્રાવિકાને જ નહિ, દરેક સાધુસાધ્વીને પણ આ ટીકાનો અક્ષરેઅક્ષર સમજાવો કઠિન છે. વર્તમાનમાં સાધુસાધ્વી વર્ગમાં કે શ્રાવકશ્રાવિકા વર્ગમાં જ્ઞાન પ્રત્યેની જે ઉદાસીનતા છવાયેલી છે તેના યોગે આજનો મોટાભાગનો ધર્મીવર્ગ છતી શક્તિએ શાસ્ત્રોના પરમાર્થથી અજાણ રહ્યો છે. પોતાનું અજ્ઞાન ખટકે તેને જ્ઞાનની કિંમત સમજાય. આ સૂત્રના અર્થ સાંભળતાં, ટીકાના પદાર્થોનું વિસ્તારથી જ્ઞાન કદાચ ન થાય, છતાં આપણા અજ્ઞાનનું આપણને ભાન થઈ જાય તો ય સાંભળેલું સફળ થયું - એમ સમજવું. આપણે તો માત્ર ટીકાનો સારભૂત ભાગ જ અહીં સમજવો છે. બને - એટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમે ધ્યાન રાખીને, જિજ્ઞાસાભાવે, કાંઈક પામવાના ભાવે સાંભળશો તો સમજાશે, કાંઈક હાથમાં પણ આવશે. પહેલી ગાથામાં જણાવ્યું છે કે ધર્મ એ શ્રેષમાં શ્રેષ્ઠ કોટિનું મંગલ છે. મંગલની વ્યાખ્યા કરતાં ટીકાકારશ્રી ફરમાવે છે કે જેનાથી આત્માનું હિત મંગાય છે - પ્રાપ્ત કરાય છે (મક્યતે હિતમનેન તિ મ મ્I ) તેને મંગલ કહેવાય છે. અથવા મને એટલે કે આત્માને પોતાને આ ભવ-સંસારમાંથી ગાળ-તારે (માં માત્ નિયંતિ તિ માતYI) તેને મંગલ કહેવાય. જે આ સંસારથી તારનાર ન હોય અને જે આત્માને હિતકર ન હોય તે પરમાર્થથી અપમંગલસ્વરૂપ છે. આ દુનિયામાં શ્રી વીતરાગપરમાત્માએ બતાવેલ સર્વવિરતિધર્મ સિવાય બીજું કોઈ આ સંસારથી તારનાર કે આત્મહિતને સાધી આપનાર નથી. દુનિયામાં બીજાં મંગલો તો સંસારમાં ડુબાડનારાં અને આત્માના અહિતને કરનારાં છે. માટે સર્વ મંગલો કરતાં ચઢિયાતું મંગલ આ ધર્મ છે માટે જ તે ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ મંગલસ્વરૂપ કઈ રીતે છે તે જણાવવા માટે ધર્મનું સ્વરૂપ સમજવું જરૂરી છે. ધર્મની વ્યાખ્યા કરતાં જણાવે છે કે જે, દુર્ગતિમાં પડતા એવા પ્રાણીઓને ધારી રાખે તેમ જ તેઓને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તેને ધર્મ કહેવાય. દુર્ગતિ એટલે ચારગતિમય સંસાર અને શુભ સ્થાન એટલે મોક્ષરૂપ સ્થાન. એટલે નક્કી છે કે આ ચારગતિમય સંસારમાંથી આત્માને તારીને પરમ હિતકારી એવા મોક્ષરૂપ સ્થાનમાં સ્થાપિત કરનાર ધર્મ હોવાથી તે મંગલસ્વરૂપ છે. જેમાં આત્માની દુર્દશા થાય તેનું નામ દુર્ગતિ. આ ચારે ગતિમાં કર્મના યોગે આત્માની દુર્દશા થાય છે. કર્મયોગે જીવ ચારે ગતિમાં ભટકે છે, માટે ચારે ય ગતિ દુર્ગતિ છે. આ ચારમાંથી એક (૧૪)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy