SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભરાય ? બે ઘૂંટડા પાણી પીઓ તો તરસ છિપાય ? રાત્રે બે ઘડી આંખ મળી હોય તો ઊંઘ કરી ક઼હેવાય ? બિલકુલ જ ન મળે ત્યારે એટલાથી ચલાવો એ જુદું, પણ એમાં સંતોષ તો ન જ હોય ને ? ખાવા પૂરું જોઈએ, પીવા પૂરું જોઈએ, ઊંઘવા પૂરું જોઈએ, સુખ પૂરેપૂરું જોઈએ અને ધર્મ માત્ર અધૂરો ચલાવવો છે ? એક આની ધર્મ પણ ભગવાનના ઘરનો છે – એમ કહીને સંતોષ માનવો છે ? આ તો એક પ્રકારનો ધર્મ પ્રત્યેનો અણગમો છે – એવું નથી લાગતું ? સ. ત્યાં જેટલું લક્ષ્ય અહીં નથી. રાખ્યું નથી એમ કહો ને ? શ્રાવકપણાનો બધો ધર્મ સાધુપણું પામવા માટે છે - આટલું જો તમારા હૈયામાં અંકાઈ જાય તો આ બધી ચર્ચા લેખે લાગી એમ સમજવું. ચર્ચાના વિસ્તારમાં આપણો મૂળભૂત વિષય ભુલાવો ન જોઈએ . શ્રાવકપણું પાળે તે શ્રાવક નહિ. સાધુપણું ઝંખે તે શ્રાવક. માટે જ આ સૂત્ર દ્વારા સાધુપણાના આચાર તમને સમજાવવા છે. આ સૂત્રના પહેલા અધ્યયનનું નામ શ્રી ધ્રુમપુષ્પિકા અધ્યયન છે. દ્રુમ એટલે વૃક્ષ. વૃક્ષના પુષ્પના ઉદાહરણથી આમાં સાધુભગવન્તની ભિક્ષાચર્યાનો આચાર બતાવેલો હોવાથી આ અધ્યયનનું નામ ‘મપુષ્પિકા' છે. જેમ વૃક્ષના પુષ્પ ઉપર બેસેલો ભમરો પુષ્પને કિલામણા પહોંચાડયા વગર તેનો રસ લે છે અને રૃમ થાય છે તેમ સાધુભગવન્ત પણ દાતાને કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડયા વગર તેની પાસેથી આહારપાણી ગ્રહણ કરે છે અને સંયમજીવનનો નિર્વાહ કરે છે. જેના વગર જીવનનો નિર્વાહ શક્ય નથી એવા આહારપાણી માટે પણ કોઈ જીવને પીડા ન પહોંચાડે એવા ભગવાનના સાધુ હોય. એક પણ જીવને દુ:ખ પહોંચાડચા વગર અને કોઈ પણ જાતનું પાપ કર્યા વગર જીવી શકાય એવું સુંદર આ સાધુપણાનું જીવન છે. આ અધ્યયનના નામનો અર્થ વિચારવાથી પણ સાધુપણાનું સર્વથા નિષ્પાપ જીવન નજર સામે આવે એવું છે. વૃક્ષના પુષ્પનું ઉદાહરણ તો બીજી ગાથામાં જણાવ્યું છે. તેની પહેલાં પહેલી ગાથામાં ધર્મનું જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજી લઈએ. धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो वो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥१- १ ॥ અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મમાં જેનું · મન સદા લાગી રહ્યું હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે પહેલી ગાથાનો શબ્દાર્થ છે. આ ગાથાનાં પ્રત્યેક પદોનો અર્થ વિસ્તારથી ટીકામાં જણાવ્યો છે. (૧૩)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy