SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૭૬ અધ્યાત્મમત૫ર ૩૭૫ ............... ૩૭૫ ઉત્થાન :- પૂર્વપક્ષી કેવલીને ક્ષાયિક સુખ કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ટીકાર્ય હનુ-કેવલીઓને ક્ષાયિક સુખ સંભવતું નથી, કેમ કે ઉદયપ્રાપ્ત વેદનીયકર્મ સાથે તેનો ક્ષાયિક સુખનો, વિરોધ છે. જે કારણથી ક્ષાયિક સુખ વેદનીયકર્મક્ષયજન્ય છે અને તેના=વેદનીયકર્મના, ઉદયમાં તેનો વેદનીયકર્મનો, ક્ષય સંભવતો નથી, એ પ્રમાણે ભાવ છે. ટીકા - અથ ક્ષયવસ્તુ જ વા યુવમેવ સાક્ષાત્તપ્રતિચ્ચિ, નીચ તુ તારંપતિવોपक्षीणम्। एवं च केवलिनि वेदनीयविपाकोदयाभावात्तदुदयाभिधानस्य च प्रदेशोदयार्थकत्वात्तस्य च दुःखाऽजनकत्वात् तद्विरहे तत्र नित्याऽऽनन्दनिःस्पन्दता निराबाधेति चेत्? न, तत्कर्मक्षायिकभावं प्रति तत्कर्मक्षयस्यैव हेतुत्वात्, अन्यथा सुषुप्तावैन्द्रियकसुख-दुःखादिविलये क्षायिकसुखप्रसङ्गात्। ટીકાર્ય - ‘અથ'થી પૂર્વપક્ષી કહે છે કે ક્ષાયિક સુખમાં ગૌણ દુઃખ-શાતાના ઉદયથી જન્ય દુઃખના પ્રતીકારરૂપ સુખ છે જે તત્ત્વથી દુઃખરૂપ છે તે રૂપ ગૌણ દુઃખ, અથવા મુખ્ય દુઃખ જ=અશાતાના ઉદયથી જન્ય મુખ્ય દુઃખ જ, સાક્ષાત પ્રતિપંથી છે. (“તપ્રતિપસ્થિ'ટીકામાં છે તેમાં તત્વ' શબ્દ વધારાનો ભાસે છે.) વળી વેદનીયકર્મ તેના=ગૌણ કે મુખ્ય દુઃખના, કારણપણા વડે કરીને જ ઉપક્ષીણ છે. (અર્થાત્ તે વેદનીયકર્મ ગૌણ કે મુખ્ય દુઃખને પેદા કરી : ચરિતાર્થ થઇ જાય છે.). પર્વ ' - અને આ રીતે=ક્ષાયિક સુખમાં ગૌણ કે મુખ્ય દુઃખ જ સાક્ષાતુ પ્રતિપંથી છે, વળી વેદનીયકર્મ તેના કારણપણા વડે કરીને જ ઉપક્ષીણ છે એ રીતે, કેવલીમાં વેદનીયકર્મના વિપાકોદયનો અભાવ હોવાથી વેદનીયકર્મના ઉદયના અભિધાનનું પ્રદેશોદયાર્થકપણું હોવાથી અને તેનું પ્રદેશોદયનું, દુઃખ અજનકપણું હોવાથી, તેના દુઃખના, વિરહમાં ત્યાં કેવલીમાં, નિત્યઆનંદની નિઃસ્પન્દતા=પ્રવાહિતા, નિરાબાધ છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છેત' -તત્કર્મના=ક્ષાયિક સુખના પ્રતિબંધક એવા વેદનીયકર્મના, ક્ષાયિકભાવ પ્રતિ તત્કર્મના=વેદનીયકર્મના, ક્ષયનું જ હેતુપણું છે. બન્યથા' - એવું ન માનો તો, અર્થાત્ ક્ષાયિક સુખ પ્રતિ વેદનીયકર્મના ક્ષયનું હેતુપણું ન માનો તો, અને વેદનીયકર્મના ઉદયથી થનારા સુખદુઃખને પ્રતિબંધક માનો તો, સુષુપ્તિ અવસ્થામાં ઐન્દ્રિયક=ઈન્દ્રિય સંબંધિ, સુખદુઃખાદિનો વિલય હોવાને કારણે ક્ષાયિક સુખ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. “જિયેસુલુલ્લવિત્નયે' - અહીં સતિસપ્તમી હેતુ અર્થક છે. ભાવાર્થ:- અથ'થી પૂર્વપક્ષીનું કહેવું છે કે ક્ષાયિક સુખમાં ગૌણ કે મુખ્ય દુઃખ જ પ્રતિબંધક છે અને વેદનીયકર્મનો ઉદય ક્ષાયિક સુખમાં પ્રતિબંધક નથી, અને તે વેદનીયકર્મ ગૌણ કે મુખ્ય દુઃખ પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, માટે કેવલીને ક્ષાયિક સુખ માનવામાં વિરોધ નથી.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy