________________
૧૫૪
પંચસંગ્રહ-૨
સંભવે છે.
ત્યાં પ્રથમ અનંતરોપનિધાથી પ્રથમ વર્ગણાની અપેક્ષાએ અનંતી વર્ગણાઓમાં ક્રમશઃ અસંખ્યભાગહીન-હીન અને ત્યારપછીની અનંતી વર્ગણાઓમાં અનુક્રમે એક એકથી સંખ્યાત ભાગહીન ત્યારપછીની અનંતી વર્ગણાઓમાં ક્રમશઃ સંખ્યાત ગુણહીન ત્યારબાદ અનંતી વર્ગણાઓમાં અસંખ્ય ગુણહીન અને ત્યારપછીની સર્વાતિમ વર્ગણા સુધીની અનંતી વર્ગણાઓમાં અનંત ગુણહીન હીન પરમાણુઓ હોય છે. તેમાં પણ પાંચે હાનિવાળી વર્ગણાઓ અનંતી હોવા છતાં અસંખ્યાત ભાગહીન પુદ્ગલોવાળી વર્ગણાઓ સર્વથી થોડી તે થકી સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનંત ગુણહીન પુદ્ગલોવાળી વર્ગણાઓ ક્રમશઃ એક એકથી અનંતગુણ છે અને પરમાણુઓની અપેક્ષાએ અનંત ગુણહીન વર્ગણાઓમાં પરમાણુઓ સૌથી થોડા તેનાથી અસંખ્યાત ગુણહીન, સંખ્યાત ગુણહીન, સંખ્યાત ભાગહીન અને અસંખ્યાત ભાગહીન પુદ્ગલોવાળી વર્ગણાઓમાં પુદ્ગલો અનુક્રમે એક એકથી અનંતગુણ છે.
વિવક્ષિત વર્ગણાથી અમુક વર્ગણાઓ ગયા પછી પુદ્ગલો કેટલાં ઓછાં થાય તેની વિચારણા કરવી તે પરંપરોપનિયા કહેવાય છે.
ત્યાં અસંખ્યાત ભાગહીન પુદ્ગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે. તેમાં સર્વથી અલ્પ સ્નેહાણુવાળી જે પ્રથમ વર્ગણા તેમાં જે પગલો છે તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા હોય છે અને તે વર્ગણાનાં પુદ્ગલોથી પુનઃ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા હોય છે. તેની અપેક્ષાએ ફરીથી તેટલી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુગલો અર્ધા હોય છે એમ અસંખ્યાતમા ભાગહીન પુદ્ગલોવાળી અંતિમ વર્ગણા સુધી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગી ઓળંગી પછી પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા અર્ધા હોય છે.
અસંખ્યાત ભાગ હાનિવાળી છેલ્લી વર્ગણામાં જેટલાં પુદ્ગલો છે તેની અપેક્ષાએ સંખ્યાત ભાગ હાનિવાળી સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં અર્ધા પુદ્ગલો થાય છે. ત્યાંથી પુનઃ સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા થાય છે. એમ સંખ્યાતીસંખ્યાતી વર્ગણાઓ ઓળંગી-ઓળંગી પછી પછીની વર્ગણામાં અર્ધા અર્ધા પુદ્ગલો ત્યાં સુધી સમજવા કે યાવત્ સંખ્યાત ભાગ હાનિવાળી અનંતી વર્ગણાઓમાંની છેલ્લી વર્ગણા આવે.
ત્યારપછીની સંખ્યાતગુણહીનાદિક ત્રણ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં એ રીતે પરંપરોપનિધા ઘટતી નથી. કારણ કે સંખ્યાત ભાગહીન પુદ્ગલોવાળી અન્તિમ વર્ગણાથી સંખ્યાત ગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાત ગુણહીન એટલે ઓછામાં ઓછા ત્રણચાર ગુણહીન અર્થાત્ ત્રીજા કે ચોથા ભાગ જેટલા થઈ જાય છે.
તે કારણે મૂળથી પાંચ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં બીજી રીતે પરંપરોપનિધા આ રીતે છે–અસંખ્યાત ભાગહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં પ્રથમ વર્ગણાનાં પુદ્ગલોની અપેક્ષાએ કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાત ભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાત ભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાત ગુણહીન, કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાત ગુણહીન અને કેટલીક