SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ ૨૧૭ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં, એ મેટી વિટંબના છે. લોકસંગ રુચતા નથી.” (શ્રી. ૧ - ૩૪૪) “ગમે તે ક્રિયા, જપ, તપ, કે શાસ્ર-વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.” ( સદર ) “ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યાગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પાતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તે જ આ સંસારમાં રહેવું યાગ્ય છે; બીજી રીતે નહીં. ” ( શ્રી,૧-૩૪૫ ) "" 66 કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક્ જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી. પદાર્થના યથાર્થ બાધ પ્રાપ્ત થાય તેને સમ્યક્ જ્ઞાન ગણવામાં આવ્યું છે.” (શ્રી,૧ - ૩૪૬ ) પછી તરત માગશર, ૧૯૪૮માં, વળી બીજી શૈલીમાં, આત્મદશા વર્ણવતાં કહે છે : ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં દેહાભિમાન મટનું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય, તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે.” (શ્રી,૧ - ૩૪૭) વળી થાડા દિવસ બાદના એક પત્રમાં લખે છે (“ૐ સત્, શ્રી સહજ સમાધિ ” – મથાળે):— 66 66 અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરુપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તેાય સહન કરીએ છીએ. (પા. સદર) "" અથવા નીચે ભક્તિભાવ જુઓ :– 66 Jain Education International ...... “અનુક્રમે સંયમ સ્પર્શતા જી, પામ્યા ક્ષાયક ભાવ; For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy